- અલ્હાબાદ હાઈકોર્ટ 3 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે
- ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની બેંચમાં સુનવણી કરાઈ
- ASI સર્વેના આદેશ વિરુદ્ધ અરજી કરાઈ હતી
અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી વિવાદમાં ASI સર્વે (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) પર સ્ટે ઓર્ડર ચાલુ રાખ્યો છે. કોર્ટ હવે આ કેસમાં 3 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટમાં ASI સર્વેના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકરની બેંચમાં થઈ હતી.
જસ્ટિસનો કેટલાક ફોટો રજૂ કરાયા
હિંદુ અને મુસ્લિમ પક્ષના વકીલોની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વકીલો પણ કોર્ટમાં હાજર છે. કોર્ટમાં ASIના અધિકારીઓ પણ હાજર છે. આજની સુનાવણીમાં ASI દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો પર મુખ્યત્વે મુસ્લિમ પક્ષ પોતાનો આપત્તિ નોંધાવી રહ્યું છે, ત્યારબાદ હિન્દુ પક્ષ પણ કેસમાં પુરાવા રજૂ કરશે. સુનાવણી દરમિયાન હિંદુ પક્ષ તરફથી કોર્ટમાં ચીફ જસ્ટિસને તેમના ટેબલેટમાં કેટલીક તસવીરો બતાવવામાં આવી હતી. આ ફોટોગ્રાફ જ્ઞાનવાપી સંકુલના પશ્ચિમ દરવાજાનો છે, જેમાં શ્લોક લખેલું છે, અને આજ ફોટોગ્રાફ હિન્દુ પક્ષ દ્વારા મુસ્લિમ પક્ષને બતાવ્યા હતા.
પરિસરને કોઈપણ નુકસાન નહી થાય: ASI
હિંદુ પક્ષે ફરી એકવાર કોર્ટને કહ્યું કે તે ઔરંગઝેબે જ મંદિરને મસ્જિદમાં પરિવર્તિત કરી હતી. રંતુ તે સંપૂર્ણ રીતે કરી શક્યા નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષને પૂછ્યું કે આ જ્ઞાનવાપી મંદિર કેટલા સમયથી હતું? હિંદુ પક્ષ વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઔરંગઝેબે તેને મસ્જિદનું રૂપ તો આપ્યું પરંતુ તે સંપૂર્ણ રીતે આપી શક્યા નહીં. સુનાવણી દરમિયાન ASI અધિકારીએ કોર્ટને કહ્યું કે અમે જ્ઞાનવાપી કેમ્પસને કોઈપણ રીતે નુકસાન પહોંચાડીશું નહીં, માત્ર બ્રશ કરવાથી સ્ટ્રેચિંગ પણ નહી આવવા દઈએ અને નુકસાનનો કોઈ પ્રશ્ન જ નથી.
મુખ્ય ન્યાયાધીશે ASI અધિકારીને પૂછ્યું કે આ કામ ક્યારે પૂરું થશે, અધિકારીએ કહ્યું કે 4 ઓગસ્ટ સુધીમાં અમે આ કામ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરીશું. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે ઉત્તર પ્રદેશ સરકારના એજીને પૂછ્યું કે તમારી અરજીનો શું ઉપયોગ છે. જવાબમાં કહેવામાં આવ્યું હતું કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા આવ્યા છીએ અને મંદિર જે સીઆરપીએફના નિયંત્રણમાં છે. ઉત્તર પ્રદેશ સરકાર વતી, એજીએ કોર્ટને કહ્યું છે કે ASI એ ખાતરી આપી છે કે તે પરિસરને કોઈપણ રીતે નુકસાન નહીં પહોંચાડે અને તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખશે.