• અમરનાથ યાત્રાને લઇને ભક્તોમાં નિરાશા
  • શિવલિંગ સમય કરતા પહેલા જ પીગળી રહ્યું છે
  • ગયા વર્ષે 14 દિવસમાં જ શિવલિંગ પીગળી ગયુ હતું

અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે. બાબા બર્ફાનીના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આજે તો એવા સમાચાર મળ્યા છે પહેલગામમાં વરસાદને કારણે હાલ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તો બીજી તરફ અમરનાથની યાત્રા કરતા જવા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવલિંગ સમય કરતા પહેલા જ પીગળી રહ્યુ છે.

સમય પહેલા જ પીગળી ગયુ શિવલિંગ ?

મળતી માહિતી મુજબ અમરનાથની ગુફામાં ગરમી વધી રહી છે. પરિણામે શિવલિંગ સમય પહેલા જ પીગળી ગયુ છે. એવામાં શ્રદ્ધાળુઓને બાબા બર્ફાનીના દર્શન થશે કે નહી તે સવાલ ઉભો થઇ રહ્યો છે. ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા બાલતાલ અને પહેલગામ ખાતે સ્થહિત કરવામાં આવી છે. વાતાવરણ સારુ થતા જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.

ભક્તોને નિરાશા

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બાબા બર્ફાની 14 દિવસમાં જ અદ્રશ્ય થઇ ગયા હતા. જ્યારે 2016માં તે 13 દિવસમાં જ અદ્રશ્ય થઇ ગયા હતા. આ વર્ષે 29 જૂનથી શરૂ થયેલી આ 52 દિવસની તીર્થયાત્રા 19 ઓગસ્ટે સમાપ્ત થશે. શુક્રવારે 20 હજાર શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1.50 લાખ ભક્તો અહીં આવ્યા છે. પરંતુ પવિત્ર ગુફામાં બરફનું શિવલિંગ સંપૂર્ણપણે પીગળી ગયું હોવાથી નવા અમરનાથ યાત્રાળુઓ નિરાશ થયા હતા.


  • Follow us on: