એરપોર્ટ ડાયરેક્ટર વિનોદ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે, બોમ્બની ધમકીને પગલે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું યુપીના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
બોમ્બની ધમકીને પગલે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું યુપીના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, એમ એરપોર્ટ ડાયરેક્ટર વિનોદ કુમારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું. “એર ઈન્ડિયા એક્સપ્રેસને સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી પ્રાપ્ત થઈ છે. જવાબમાં, સરકાર દ્વારા નિયુક્ત બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીના નિર્દેશ મુજબ સુરક્ષા પ્રોટોકોલ તાત્કાલિક એક્ટિવ કરવામાં આવ્યા હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ છે અને તમામ સુરક્ષા પ્રક્રિયાઓને અનુસરીને એરક્રાફ્ટને આગળ જવા દેવામાં આવશે.













