- 3 રાજ્યોમાં ભાજપને મળ્યો જનતાનો વિશ્વાસ
- કેન્દ્રીય રેલવે મંત્રીએ પીએમ મોદીને આપ્યો શ્રેય
- ટ્વિટર પર દેશની જનતાનો પ્રેમ વ્યક્ત કર્યો
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલા પ્રચંડ વોટને લઇને પીએમ મોદીને શ્રેય આપ્યો છે. તેઓએ ટ્વિટર પર આ અંગે પીએમ મોદીની તસવીર શેર કરતા જણાવ્યું કે ભારતને પીએમ નરેન્દ્ર મોદીની ગેરંટી પર વિશ્વાસ છે'. કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા શેર કરવામાં આવેલ વડાપ્રધાન મોદીની તસવીરમાં પીએમ ભગવા કપડા પહેરીને હાથ જોડીને સલામ કરતા જોવા મળે છે.
ટ્વિટર પર કર્યુ શેર
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની આ તસવીર દ્વારા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકોને પીએમ મોદી પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ તેમની યોજનાઓ દ્વારા દેશની જનતાને જે ગેરંટી આપી છે તેમાં સમગ્ર દેશને વિશ્વાસ છે. તેઓ કહેવા માંગતા હતા કે વડાપ્રધાન મોદી માટે જનતા જનાર્દન સમાન છે, જેમની સેવા કરવી એ તેમનું સૌથી મોટું મિશન છે.
?" target="_blank">https://twitter.com/AshwiniVaishnaw/status/1731198821747871851?
ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર છે
વર્ષ 2023માં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાંથી આજે ચાર રાજ્યોના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ ચાર રાજ્યોમાં એક રાજ્ય તેલંગાણા સિવાય બીજેપીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર વોટ મળ્યા છે. જેના કારણે પાર્ટીના દરેક નાના-મોટા કાર્યકરો અને નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડબલ એન્જિન સરકાર પર જનતાની મંજુરી
મધ્ય પ્રદેશમાં ભાજપ 160થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે છત્તીસગઢમાં પાર્ટી 50થી વધુ બેઠકો પર સતત આગળ ચાલી રહી છે, જ્યારે રાજસ્થાનમાં ભાજપે પોતાના દમ પર સરકાર બનાવવાનો આંકડો પાર કરી લીધો છે. ત્રણેય મોટા રાજ્યોમાં ભાજપની જીત એટલે ડબલ એન્જિન સરકારને જનતાનો ગ્રીન સિગ્નલ. મતલબ કે આ રાજ્યોમાં લોકોએ ભાજપ સરકારની યોજનાઓને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.