- આસામના ડિબ્રુગઢ શહેરમાં ધોધમાર વરસાદ
- મોટાભાગના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી
- ભારે વરસાદ થતા અનેક ગામો થયા સંપર્ક વિહોણા
આસામના ડિબ્રુગઢ શહેરમાં ગુરુવારે સવારે ભારે વરસાદ બાદ મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તેમાં વ્યસ્ત મનકોટ્ટા રોડનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે બ્રહ્મપુત્રા નદીના કિનારે સ્થિત ડિબ્રુગઢમાં બિનઆયોજિત ડ્રેનેજ સિસ્ટમના કારણે તેઓ દાયકાઓથી પૂર અને જળબંબાકારનો સામનો કરી રહ્યા છે.
ડ્રેનેજની નબળી વ્યવસ્થાને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા
ડિબ્રુગઢના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગટરની નબળી વ્યવસ્થાને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. જોકે સંબંધિત વિભાગ દરેક વોર્ડમાં રસ્તાઓ બનાવે છે, પરંતુ તેઓ આ રસ્તાઓ પાસે ગટર ખોદવાનું ટાળે છે." એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડિબ્રુગઢ ટાઉન પ્રોટેક્શન (ડીટીપી) નાળાની નજીક અતિક્રમણને કારણે વરસાદનું પાણી શહેરની બહાર વહી શકતું નથી, પરિણામે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નિવૃત્ત પ્રોફેસર ઈસ્માઈલ અહેમદે કહ્યું, “અમને એક વૈજ્ઞાનિક ડ્રેનેજ સિસ્ટમની જરૂર છે જે શહેરમાંથી પાણી લઈ શકે.
લગભગ 1.4 લાખ લોકો પ્રભાવિત
આસામમાં આભ ફાટતા લગભગ 1.4 લાખ લોકો પ્રભાવિત થયા છે. જો કે બુધવારે સાંજ સુધીમાં લગભગ 1.4 લાખ લોકો પ્રભાવિત થયા છે લોકો હજુ પણ પ્રભાવિત છે. કચરમાં સૌથી વધુ 75 હજાર લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કરીમગંજમાં લગભગ 56500 લોકો અને ધેમાજીમાં લગભગ 3800 લોકો પૂરથી પીડિત છે. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને તોફાન વગેરેના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યા છે.