- STF ની ટીમે કર્યું એન્કાઉન્ટર
- દીકરા અસદ પર હતું 5 લાખનું ઈનામ
- ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર
અસદ, માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને ગુલામ સ/ઓ મકસુદાનનો પુત્ર, બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ છે અને પ્રત્યેક પાંચ લાખ રૂપિયાનું ઈનામ ધરાવે છે; ઝાંસીમાં ડીવાયએસપી નવેન્દ્રુ અને ડીવાયએસપી વિમલની આગેવાની હેઠળની યુપીએસટીએફ ટીમે એન્કાઉન્ટર કર્યું હતું. તેની પાસેથી અત્યાધુનિક વિદેશી બનાવટના હથિયારો મળી આવ્યા હતા. યૂપી પોલીસે આજે બપોરે અતીક અહેમદના પુત્રની સાથે શુટર ગુલામનું પણ એન્કાઉન્ટર કર્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી અસદનું નામ સામેલ છે. પ્રયાગરાજ શૂટઆઉટ બાદ અસદ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આજે અનેકવાર ચકમો આપ્યા બાદ તે STF ADGના હાથ લાગ્યો હતો. પોલીસે તેને જીવતો પકડવાનો પ્રયાસ કર્યો હતો. યૂપી પોલીસે ઘટના બાદ CM યોગીને રિપોર્ટ આપ્યો.
એકતરફ ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે અન્ય તરફ યૂપી પોલિસે એક મોટી કામયાબી મેળવી છે. યૂપી પોલીસે અતીકના દીકરા અસદનું એન્કાઉન્ટર કર્યું.આ સાથે જ ધોળે દિવસે ઉમેશપાલની હત્યા કરનારો મોહમ્મદ ગુલામ પણ મોતને ઘાટ ઉતર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં રાજુપાલ હત્યા કેસમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઉમેશ પાલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો. જ્યારે તે કારમાંથી બહાર ગલીમાંથી ઉતરી રહ્યો હતો. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સ માર્યા ગયા હતા.
ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલામાં શાઇસ્તાની સાથે 5 શૂટર્સ (અસદ, અતીક અહેમદનો પુત્ર, અરમાન, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબી)ને શોધી રહી હતી. પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે 47 દિવસથી ફરાર અસદ અને ગુલામને મોતને ઘાટ ઉતાર્યા છે.
અસદ અને ગુલામ દિલ્હીમાં છુપાયેલા હતા
ઉમેશ પાલ હત્યા કેસને અંજામ આપ્યા બાદ પાંચ શૂટર ફરાર થઈ ગયા હતા. અસદ અને ગુલામ દિલ્હીમાં છુપાયેલા હતા. હાલમાં જ દિલ્હી પોલીસે અસદને આશરો આપવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આર્મ્સ એક્ટ સંબંધિત કેસમાં પોલીસે અવતાર સિંહની ધરપકડ કરી હતી. અવતરે ખુલાસો કર્યો છે કે તેણે ઝીશાન અને ખાલિદને 10 હથિયાર સપ્લાય કર્યા હતા. પૂછપરછ દરમિયાન ખાલિદ અને ઝીશાને જણાવ્યું કે તેઓએ અસદ અને ગુલામને દિલ્હીમાં એક ગુપ્ત ઠેકાણે આશ્રય આપ્યો હતો. આ પછી પોલીસે 31 માર્ચે જાવેદની ધરપકડ કરી હતી. જાવેદે જણાવ્યું કે ઉમેશ પાલની હત્યા બાદ અસદ અને ગુલામ તેને મળ્યા હતા. તેના સ્થળ પર, પોલીસે ફરીથી દરોડા પાડવાનું શરૂ કર્યું અને આજે શૂટર અસદ સાથે ગુલામને મારી નાખ્યો.









