પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓને એક કડક સંદેશ આપ્યો. તેમણે નેતાઓને તેમના ભાષણમાં સંયમ રાખવા અને બિનજરૂરી અને વિવાદાસ્પદ નિવેદનો ટાળવા કહ્યું હતું. પીએમ મોદીએ સલાહ આપી છે કે ઓપરેશન સિંદૂર પર બિનજરૂરી નિવેદન આપતા બચો. 


પીએમ મોદીની નેતાઓને સલાહ 

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ તેમના સમાપન ભાષણમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જાહેર જીવનમાં વાણીનો સાચો અને યોગ્ય ઉપયોગ જરૂરી છે. તેમણે નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે દરેક મુદ્દા પર ટિપ્પણી કરવી જરૂરી નથી કારણ કે તે પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. વિજય શાહ અને રામચંદ્ર જાંગરા જેવા ભાજપના નેતાઓ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનો બાદ આ સૂચના આપવામાં આવી છે, જેના પર વિપક્ષ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.


  • Follow us on: