- 241 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે સ્ટશેનનું નિર્માણ થઈ રહ્યું છે
- સ્ટેશન પરથી રોજ 50 હજાર લોકોનું આવાગમન થવાનું અનુમાન
- અયોધ્યા રેલવે સ્ટેશનના પુનનિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા જશે. તેની પહેલાં અયોધ્યા રેલવે સ્ટેશનના પુનનિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, અને 15 જાન્યુઆરી સુધીમાં પૂરું કરી દેવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા રેલવે સ્ટેશનને એવી રીતે બનાવાઈ રહ્યું છે કે રામમંદિરની પ્રથમ ઝલક સ્ટેશન પર જ દેખાઈ આવે. તેની ઇમારત રામમંદિરથી પ્રેરિત છે. રેલવેનું કહેવું છે કે આ સ્ટેશન પર દરરોજ 50 હજાર લોકોનું આવાગમન થઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધાઓ અનુસાર સ્ટેશન તૈયાર કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 241 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે સ્ટશેનનું નિર્માણ થઈ રહ્યું છે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે ત્યારે રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
ગ્રીન રેલવે સ્ટેશન રૂપે તૈયાર કરાય છે










