• વ્યાજ દરમાં વધારા છતાં ધિરાણની માંગમાં જબરદસ્ત ઉછાળો

  • બેન્ક ક્રેડિટ રૂ. 1.14 લાખ કરોડ વધીને રૂ. 140.08 લાખ કરોડ પર પહોંચી
  • રૂ. 2,000ની અડધોઅડધ નોટો પાછી આવી

રિઝર્વ બેન્ક દ્વારા બજારમાં ફરતી રૂ. 2,000ની ચલણી નોટો પાછી ખેંચી લેવામાં આવ્યા પછી 2 જૂન 2023માં રોજ પૂરા થયેલા પંદર દિવસનાં ગાળામાં બેન્ક ડિપોઝિટ્સમાં જબરદસ્ત વધારો થયો છે. પંદર દિવસ અગાઉ બેન્ક ડિપોઝિટ્સ રૂ. 187.02 લાખ કરોડ પર પહોંચી છે જે અગાઉ 3.26 લાખ કરોડની હતી. આમ બેન્કિંગ સિસ્ટમમાં કરોડોનું નાણું પાછું આવ્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, 19 મે 2023નાં રોજ પૂરા થતા 15 દિવસમાં બેન્ક થાપણોમાં રૂ. 59,623 કરોડનો ઘટાડો થયો હતો અને તે રૂ. 183.74 લાખ કરોડ રહી હતી. આ ગાળામાં વાર્ષિક ધોરણે જવાબદારીઓ વધીને 11.8 ટકા થઈ હતી જે એક વર્ષ અગાઉ 9.3 ટકા હતી.

રૂ. 2,000ની અડધોઅડધ નોટો પાછી આવી

ઇમ્ંનાં ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂન 2023નાં રોજ નાણાકીય નીતિ જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે, 31 માર્ચ 2023નાં રોજ માર્કેટમાં રૂ. 2,000નાં દરની રૂ. 3.62 લાખ કરોડ નોટો ફરતી હતી. પણ તેને પાછી ખેંચવામાં આવ્યા પછી અડધોઅડધ એટલે કે રૂ. 1.80 લાખ કરોડની નોટો બેન્કોમાં પાછી આવી છે.

 સમીક્ષા હેઠળનાં ગાળામાં બેન્ક ક્રેડિટ રૂ. 1.14 લાખ કરોડ વધીને રૂ. 140.08 લાખ કરોડ થઈ હતી. વાર્ષિક ધોરણે ક્રેડિટ પોર્ટફોલિયો 15.4 ટકા વધ્યો હતો જે એક વર્ષ અગાઉ 13.1 ટકા હતો. વ્યાજ દરમાં નોંધપાત્ર વધારો તેમજ સપ્લાય ચેનની સમસ્યા અને વિશ્વ સ્તરે અનેક અનિશ્ચિતતા વચ્ચે પણ ક્રેડિટની માંગમાં જબરો ઉછાળો નોંધાયો હતો.


  • Follow us on: