• અખિલેશ યાદવની પાર્ટીને મોટો ફટકો
  • લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં મોટું વિભાજન થઈ શકે છે
  • સૂત્રોના જણાવ્યા અનુસાર, સપાના અડધા ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે

લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં મોટા ભાગલા થવાની સંભાવના છે. સપામાં વિભાજનને આગામી લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષ્યથી જોવામાં આવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો અખિલેશ યાદવની પાર્ટીના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. જ્યારે પાર્ટીના 3 ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. રાજ્યસભા ચૂંટણીના મતદાનના દૃષ્ટિકોણથી પણ આ ભંગાણને અખિલેશ યાદવ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.સૂત્રોનું માનીએ તો સપાના ધારાસભ્ય ઈન્દ્રજીત સરોજ સહિત સપાના અડધાથી વધુ વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં તેની જરૂર પડે તો, આ તમામ ધારાસભ્યો સપા વિરુદ્ધ ક્રોસ વોટિંગ કરી શકે છે. આ સિવાય સૂત્રોનું માનીએ તો, સપાના અમિતાભ વાજપેયી સહિત ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ તમામ ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીમાં છે, તેથી જ તેઓ અન્ય પક્ષોની રાહ જોઈ રહ્યા છે.

રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને નારાજગી વધી

જો કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અખિલેશ યાદવની નજીકના ઘણા નેતાઓએ તેમને ચોંકાવી દીધા છે. સપાના ધારાસભ્ય અને અપના દળ કામેરાવાડી નેતા પલ્લવી પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારને વોટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું છે, કે પાર્ટી પીડીએની ફોર્મ્યુલા પર ચાલી રહી છે. તેમણે સપાના ઉમેદવારો જયા બચ્ચન અને આલોક રંજન પર સવાલો ઉઠાવ્યા છે.

ચૂંટણી પહેલા બળવો

રાજ્યસભાના ઉમેદવારોના નામાંકન બાદ સપામાં બળવો શરૂ થઈ ગયો છે. આ પહેલા સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ઉમેદવારોના નામાંકન બાદ પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે,યુપીમાં રાજ્યસભાની 10 સીટો માટે ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપે 8 અને સપાએ 3 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જયા બચ્ચન અને આલોક રંજન સિવાય સપાએ રામજી સુમનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.