કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIએ તપાસનો ધમધમાટ આદર્યો છે. તેવામાં કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કોલકાતા રેપ-મર્ડર કેસમાં DNA રિપોર્ટને લઈને મોટો ખુલાસો થયો છે.


કોલકાતા રેપ-મર્ડર કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. CBIની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતક અને આરોપીના ડીએનએ મેચ થયા છે. ડીએનએ રિપોર્ટ પહેલા જ સીબીઆઈ પાસે પહોંચી ગયો હતો. આ પછી તેને અંતિમ અભિપ્રાય માટે એઈમ્સમાં મોકલવામાં આવ્યો હતો. AIIMSના ડોક્ટરોની પેનલે DNA રિપોર્ટનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, અત્યાર સુધી તપાસમાં બળાત્કાર અને હત્યાના કેસમાં માત્ર સંજય રોયનું જ નામ સામે આવ્યું છે. આમાં અન્ય વ્યક્તિની ભૂમિકા બહાર આવી નથી. આ કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. તપાસ દરમિયાન 10 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

9 ઓગસ્ટની સવારે, હોસ્પિટલના સેમિનાર હોલની અંદર એક તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના એક દિવસ બાદ પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી. 13 ઓગસ્ટે કોલકાતા હાઈકોર્ટે કોલકાતા પોલીસને સીબીઆઈને તપાસ સોંપવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ 14 ઓગસ્ટથી આ કેસની તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોલકાતાની RG કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી હતી.

રાજ્યમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે

આ ઘટનાના વિરોધમાં કોલકાતામાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શહેરના રહેવાસીઓએ પીડિતાને ન્યાયની માંગણી સાથે ગઈકાલે રાત્રે એક કલાક સુધી લાઇટ બંધ કરી દીધી હતી. આ ઉપરાંત વિક્ટોરિયા મેમોરિયલ અને રાજભવન જેવા સ્થળોએ પણ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજભવન ખાતે મીણબત્તીઓ પ્રગટાવી હતી. તેણે તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. 

  • Follow us on: