ભારતીય એજન્સીઓએ દુબઈમાથી મહાદેવ સટ્ટાબાજીની એપના માલિકની અટકાયત કરી, તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસના માસ્ટરમાઇન્ડ અને કંપનીના માલિક સૌરભ ચંદ્રાકરને ઇન્ટરપોલ દ્વારા દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેને ભારત લાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.


ભારતીય એજન્સીઓને મળી મોટી સફળતા

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ભારતની તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સટ્ટાબાજીની એપના માલિક સૌરભ ચંદ્રાકરની ઈન્ટરપોલ દ્વારા અટકાયત કરવામાં આવી છે, ત્યારબાદ તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરને એક સપ્તાહની અંદર ભારત લાવી શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ટરપોલે CBIને જાણ કરી છે, જે નોડલ એજન્સી છે. EDએ આ મામલામાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકર

મહાદેવ એપના માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકરના ડી કંપની (દાઉદ ઈબ્રાહિમ) સાથે પણ કનેક્શન છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી છે. દેશના ઘણા રાજ્યોમાં મહાદેવ એપ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. આ એપને લઈને EDમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ પહેલા ડિસેમ્બર 2023માં સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યો હતો.5 નવેમ્બર, 2023ના રોજ કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

ઈડીએ પણ કરી છે કાર્યાવહી

EDની ભલામણોને પગલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આદેશ જારી કરવામાં આવ્યા હતા. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે EDએ એક 'કેશ કુરિયર'નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો હતો જેમાં છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા મળ્યા હતા લેવામાં આવ્યા હતા. જોકે, બઘેલે આરોપોને ફગાવી દીધા હતા.EDએ 8 નવેમ્બરના રોજ કેસ નોંધ્યો હતો. આરોપીઓ પર છેતરપિંડી અને જુગાર રમવાનો આરોપ હતો. આ મામલે માટુંગા પોલીસ સ્ટેશનમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત 30થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

એસઆઈટીની કરાઈ રચના

રવિ ઉપ્પલ સહિત 30થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો જેને બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને બાદમાં તેની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. ખરેખર, આ મામલામાં સામાજિક કાર્યકર્તાએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એપ અને તેના પ્રમોટર્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે માટુંગા પોલીસને કેસ નોંધવા કહ્યું હતું. પોલીસે જણાવ્યું કે સૌરભ, રવિ વગેરે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIR મુજબ, આરોપીઓએ લોકો સાથે લગભગ 15 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

  • Follow us on: