- તમામ 11 આરોપીઓને તત્કાલ જેલમાં પરત મોકલવાની માંગ કરી
- 2002માં ગોધરાકાંડ પછીના તોફાનોમાં બિલ્કીસ પર સામૂહિક દુષ્કર્મ થયું હતું
- સુપ્રીમ કોર્ટના મે મહિનાના ચુકાદા પર પુનઃવિચારણા કરવાની અરજી પણ દાખલ કરી
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદના તોફાનોમાં પોતાની સાથે સામૂહિક દુષ્કર્મ આચરનારા અને પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 આરોપીઓને સમય પહેલાં જ છોડી મૂકવામાં આવતાં તેને પડકારતાં બિલ્કીસ બાનોએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તમામ 11 આરોપીઓને તત્કાલ જેલમાં પરત મોકલવાની માંગ કરી છે. બાનોએ બીજી એક અરજીમાં સુપ્રીમ કોર્ટના 13 મેના આદેશ પર પુનઃવિચારણા કરવાની માંગ કરવામા આવી છે. આ ચુકાદામા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગેંગરેપના આરોપીઓના છુટકારા બાબતે 1992માં બનેલા નિયમ લાગુ થશે. આ નિયમના આધારે જ 11 આરોપીઓની મુક્તિ થઇ હતી. બિલ્કીસ બાનોના વકીલે કેસના લિસ્ટિંગ માટે ઝ્રત્નૈં ડીવાય ચંદ્રચૂડ સમક્ષ મામલાનો ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઈએ જણાવ્યું હતું કે તેઓ એ મુદ્દાની તપાસ કરશે કે શું આ બન્ને મુદ્દાને એકસાથે સાંભળી શકાય તેમ છે કે નહીં અને શું તેને એક જ બેન્ચ સમક્ષ સાંભળી શકાય તેમ છે કે નહીં.
13 મેના આદેશમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?










