- રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરાય એટલી ઓછી છે:અશ્વિની વૈષ્ણવ
- રાહુલ ગાંધીએ હિંદુ સમાજને હિંસક ગણાવ્યો :અશ્વિની વૈષ્ણવ
- સંસદમાં રાહુલ ગાંધી જૂઠુ બોલ્યા :અશ્વિની વૈષ્ણવ
દેશની રાજધાની દિલ્હીમાં સંસદમાં આજે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ભારે વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ આપેલા હિંદુ સમાજ અંગેના નિવેદનને લઈ વિવાદનો નવો મધપૂડો છંછેડાયો છે. રાહુલ ગાંધીના હિંદુ સમુદાયને આપેલા નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોનફરન્સ કરી વળતો પ્રહાર કર્યો હતા. રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુનો મુદ્દો ઉઠાવતા ભારે હોબાળો થયો હતો.
કેન્દ્રીય રેલવે પ્રધાને જણાવ્યું કે રાહુલ ગાંધીએ હિંદુ સમાજનું અપમાન કર્યું છે. ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન ખૂબ ખરાબ છે. અશ્વી વૈષ્ણવે વિપક્ષના નેતાના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું. તેમનું કહેવું છે કે વિપક્ષના નેતાનું પદ ખૂબ જ જવાબદારીભર્યું પદ છે...રાહુલજીએ પહેલીવાર કોઈ જવાબદારી લીધી છે પરંતુ પહેલીવાર જવાબદારી લેવા છતાં તેમણે આજે ખૂબ જ બેજવાબદાર નિવેદન આપ્યું છે.













