- સંજયસિંહના આરોપો પર ભાજપનો વળતો જવાબ
- મનોજ તિવારી અને વિરેન્દ્ર સચદેવાએ કર્યા પ્રહાર
- કહ્યું બૂમો પાડવાથી જુઠ્ઠાણુ સાચુ થતુ નથી
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના આરોપો પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે સંજય સિંહે જણાવવું જોઈએ કે તેમણે રેસ્ટોરન્ટના માલિક સાથે રાત્રે 1 થી 3 દરમિયાન મીટિંગ કરી હતી કે નહીં. જો દારૂની નીતિ સારી હતી તો શા માટે બદલાઈ? સચદેવાએ કહ્યું કે જોરથી બૂમો પાડીને અસત્યને સત્યમાં ફેરવી શકાય નહીં.
બૂમો પાડવાથી જૂઠું સાચું થતું નથી - ભાજપ
સંજય સિંહના આરોપોનો જવાબ આપતા ભાજપના નેતાએ કહ્યું કે જોરથી બૂમો પાડીને અસત્યને સત્યમાં ફેરવી શકાય નહીં. સચદેવાએ કહ્યું કે દિલ્હીમાં દારૂનું કૌભાંડ કરનાર અરવિંદ કેજરીવાલ એક કલંક છે અને તે બધા કલંકની ગાથા લખી રહ્યા છે. દાવાઓના નામે તેઓ માત્ર જુઠ્ઠાણા, અપ્રમાણિકતા અને નૌટંકી કરતા રહ્યા છે. દિલ્હીના ટેક્સથી પૈસા લૂંટીને રાજમહેલ બનાવનારા કેજરીવાલના મહેલમાં જવાની જનતાની પરમિશન નથી પરંતુ સંજય સિંહ જતા હતા.
મનોજ તિવારીએ કહ્યું- કેજરીવાલને જનતા માટે દુ:ખ થયું
તો બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે આજકાલ દિલ્હીના લોકો એક જ સવાલ પૂછે છે. અરવિંદ કેજરીવાલ, તમારે ખોલવી તો શાળા હતા પરંતુ દિલ્હીમાં તમે મધુશાળા ખોલવાનુ શરૂ કરી દીધું. તમે એ મહિલાઓની પીડા સમજો, જ્યારે એક મહિલા 45-50 વર્ષની થાય છે અને અપેક્ષા રાખે છે કે બાળક આપણો સહારો બનશે. પરંતુ જો તે જ બાળક નશામાં અને ક્યાંક પડેલું જોવા મળે તો શું થશે? અરવિંદ કેજરીવાલને હાય લાગી છે. જેના પુત્રોને દારૂડિયા બનાવવા માટે ખરાબ કાર્યો કર્યા.









