સીમા સુરક્ષા દળે છેલ્લા 10 મહિનામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર 1300 કરોડ રૂપિયાનું સોનું અને ચાંદી જપ્ત કરી છે. તેમાં 172 કિલોથી વધુ સોનું અને 178 કિલો ચાંદી છે. BSFએ તેના સ્થાપના દિવસ પર જાહેર કરેલા રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને તસ્કરો આનો ફાયદો લઈ રહ્યા છે. તાજેતરમાં, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોના અને ચાંદીની દાણચોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. BSF પાસેથી મળેલી માહિતી અનુસાર આ વર્ષે 31 ઓક્ટોબર સુધી માત્ર 10 મહિનામાં 172.528 કિલો સોનું અને લગભગ 178 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે.
બંનેની બજાર કિંમત 1300 કરોડ રૂપિયાની આસપાસ છે. 5 ઓગસ્ટ 2024 પછી બાંગ્લાદેશમાં જે પ્રકારની રાજકીય અસ્થિરતા આવી. વચગાળાની સરકાર રચાઈ. તેનો લાભ પણ તસ્કરો લઈ રહ્યા છે. જોકે, BSFની સતર્કતાના કારણે સોના-ચાંદીના દાણચોરો અલગ-અલગ જગ્યાએથી સતત ઝડપાઈ રહ્યા છે.
બોર્ડર પર 11,886 કિલો ડ્રગ્સ પણ પકડાયું હતું
BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર લગભગ 11,866 કિલો ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. સરહદ પરથી 3265700 રૂપિયાની નકલી કરન્સી પણ મળી આવી છે. BSFએ ડ્રગ્સ, સોનું-ચાંદી અને નકલી ચલણની દાણચોરી માટે 4168 લોકોની ધરપકડ કરી છે.
ગયા વર્ષે BSFએ લગભગ 163 કિલો સોનું રિકવર કર્યું હતું. આ વર્ષે સોનાની દાણચોરી વધી છે. બાંગ્લાદેશમાં જે રીતે સ્થિતિ પ્રવર્તી રહી છે તેના કારણે ત્યાંના લોકોમાં બેરોજગારી છે. તસ્કરોની સંખ્યા પણ વધી છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો સોના-ચાંદીની દાણચોરીમાં વધુ વધારો થઈ શકે છે.