દેશના 10 રાજ્યોમાં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કેરળની વાયનાડની લોકસભા સીટ તેમજ વિવિધ રાજ્યોની 31 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલીક બેઠકો લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્યો જીત્યા બાદ ખાલી પડી હતી, જ્યારે કેટલીક બેઠકો પર ધારાસભ્યોના મૃત્યુ થયા હતા. આજે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં વાયનાડ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. 32 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ભાજપ અને કોંગ્રેસ માટે મોટી લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.


કયા રાજ્યની કેટલી બેઠકો પર પેટાચૂંટણી?

રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્યપ્રદેશની બે અને છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક બેઠક પર આજે પેટાચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.

પ્રિયંકા ગાંધીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી

બિહાર-મધ્યપ્રદેશની આ બેઠકો પર મતદાન

બિહારમાં રામગઢ, તરરી, ઈમામગંજ અને બેલાગંજ સીટો પર પેટાચૂંટણી છે. JDS નેતા નિખિલ કુમારસ્વામી કર્ણાટકના ચન્નાપટનાથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ તેમના પિતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડી છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના પુત્ર ભરત બોમ્માઈને શિગગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર યાસિર અહેમદ ખાન પઠાણ સાથે થશે.

મધ્યપ્રદેશની બુધની અને વિજયપુર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત ભાજપમાં જોડાયા અને મોહન યાદવ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા બાદ શ્યોપુર જિલ્લાની વિજયપુર બેઠક પર પેટાચૂંટણી જરૂરી બની ગઈ હતી. બુધની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે કારણ કે ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ લોકસભામાં ચૂંટાયા છે અને હવે કેન્દ્રીય કૃષિ મંત્રી છે.

  • Follow us on: