- હિમાચલમાં રાજકીય ઉથલપાથલ તેજ
- ભાજપના 15 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા
- ધારાસભ્યોનું વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન
હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ સતત વધી રહી છે. એક તરફ કોંગ્રેસ સરકાર સંકટમાં છે તો બીજી તરફ તેને બચાવવા માટે વિધાનસભામાં નવું ગણિત આચરવામાં આવી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષે પૂર્વ સીએમ જયરામ ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને સત્રમાંથી હાંકી કાઢતા વિધાનસભાની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
બીજેપીના 15 ધારાસભ્યો સસ્પેન્ડ
ભાજપના 15 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, વિનોદ કુમાર, જનક રાજ, બલબીર વર્મા, સુરેન્દ્ર શૌરી, ઈન્દર સિંહ ગાંધી, હંસરાજ, લોકેન્દ્ર કુમાર, રણધીર શર્મા, રણવીર સિંહ નિક્કાનો સમાવેશ થાય છે.
હવે ગૃહમાં માત્ર 10 ધારાસભ્યો જ રહ્યા
મહત્વનું છે કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા સ્પીકરે 15 બીજેપીના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા હવે કોઈપણ મતદાન માટે માત્ર 10 ધારાસભ્યો જ ગૃહમાં હાજર રહેશે. જો આમ થશે તો બજેટ કોઈપણ અવરોધ વિના પસાર થઈ જશે અને સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવશે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હિમાચલ સરકાર ગૃહ સ્થગિત થવાને કારણે નારાજ ધારાસભ્યોને મનાવવા માટે થોડો સમય મેળવવાની યોજના ધરાવે છે.
હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ
હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનો વિજય થયો હતો, જ્યારે સત્તાધારી પક્ષ કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ક્રોસ વોટિંગને કારણે હારી ગયા હતા. હિમાચલ પ્રદેશમાં ભાજપ પાસે બહુમતી નહોતી, પરંતુ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું, જેના કારણે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને સમાન મતો મળ્યા હતા. કાપલી દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.