• દક્ષિણના 2 નેતાઓની બેઠકના કારણે રાજકીય ગરમાવો વધુ ઉગ્ર
  • NDAની બેઠક બાદ ચંદ્રબાબુ નાયડુએ સ્ટાલિન સાથે કરી  મુલાકાત
  • મને પૂરો વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા ભજવશે'

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ બુધવારે દિલ્હીમાં બે મોટી બેઠકો યોજાઈ હતી. એક બેઠક એનડીએ અને બીજી INDIA એલાયન્સની હતી. આ બેઠકોને લઈને રાજકીય ગરમાવો હજુ શમ્યો ન હતો ત્યારે દક્ષિણના 2 નેતાઓની બેઠકના કારણે રાજકીય ગરમાવો વધુ ઉગ્ર બન્યો હતો. NDAની બેઠક બાદ ચંદ્રબાબુ નાયડુએ સ્ટાલિન સાથે  મુલાકાતને લઈને રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

દિલ્હીમાં બેઠક બાદ ડીએમકેના વડા અને તમિલનાડુના CM એમકે સ્ટાલિન અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુ દિલ્હી એરપોર્ટ પર મળ્યા હતા. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, જૂના મિત્ર ચંદ્રબાબુ નાયડુને દિલ્હી એરપોર્ટ પર મળ્યા.

'મને પૂરો વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા ભજવશે'

તેણે આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, મેં તેને શુભેચ્છા પાઠવી છે. આશા વ્યક્ત કરી કે અમે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના ભાઈબંધ રાજ્યો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે સહયોગ કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવશે. દક્ષિણના રાજ્યોની વકીલાત કરશે. અમારા અધિકારોનું રક્ષણ કરશે.

ભાજપ 2014 પછી પહેલીવાર મેજિક ફિગરથી પાછળ

543 સભ્યોની લોકસભામાં NDA 272ના બહુમતી અંકથી ઉપર છે. પરંતુ, આ ગઠબંધનની આગેવાની કરી રહેલી ભાજપ 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. જે 2014 પછી પ્રથમ વખત જાદુઈ આંકડાની પાછળ છે. બુધવારે દિલ્હીમાં NDAની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદીને સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે, તેમના માટે સતત ત્રીજી વખત ગઠબંધન સરકારના વડા તરીકે શપથ લેવાનો માર્ગ સાફ થઈ ગયો છે.

  • Follow us on: