• મિશન ચંદ્રયાન 4 વિશે ઇસરોએ આપી માહિતી
  • દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ઇસરો ચીફે આપી માહિતી
  • બે ભાગમાં લોન્ચ કરાશે ચંદ્રયાન-4
ચંદ્રયાન 3ની ઝળહળતી સફળતા બાદ હવે ચંદ્રયાન 4ને લોન્ચ કરવામાં આવશે. ભારતનું ચોથુ ચંદ્રમા મિશન ઐતિહાસિક હશે. ચંદ્રયાન-4ને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ અવકાશમાં આ બે ભાગોને એક કરીને સ્પેસક્રાફ્ટ તૈયાર થશે. આ નિવેદન આપ્યુ છે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે.

બે ભાગમાં લોન્ચ કરાશે ચંદ્રયાન-4
બુધવારે ચંદ્રયાન-4 મિશન વિશે માહિતી આપા સોમનાથને જણાવ્યું હતું કે ચંદ્રયાન-4ને બે ભાગમાં મોકલવું પડશે કારણ કે તે એટલું ભારે છે કે ઈસરોનું સૌથી શક્તિશાળી રોકેટ પણ તેને લઈ જઈ શકતું નથી. ચંદ્રની યાત્રા શરૂ કરતા પહેલા ચંદ્રયાન-4ને તમામ ભાગો ભેગા કરીને તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આવું પહેલા પણ થઇ થઈ ચૂક્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અન્ય સમાન સુવિધાઓ આ રીતે એસેમ્બલ કરવામાં આવી હતી. જો કે આવું પહેલીવાર બનશે જ્યારે સ્પેસક્રાફ્ટને બે ભાગોમાં લોન્ચ કરવામાં આવશે અને અવકાશમાં જઇને બે ભાગ ભેગા કરવામાં આવશે.

ઇસરો ચીફે ચંદ્રયાન-4 મિશન વિશે શું કહ્યું?
ISRO ચીફ એસ સોમનાથે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રયાન-4 મિશનની આ વિશેષતા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે અમે ચંદ્રયાન-4નું કન્ફિગરેશન તૈયાર કરી લીધુ છે કે ચંદ્રમાથી સેમ્પલ કેવી રીતે પૃથ્વી પર લાવવામાં આવશે. અમે બહુવિધ પ્રક્ષેપણ દ્વારા આ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક જ વારમાં આ કાર્ય કરી શકીએ તેવી શક્તિશાળી નથી.

  • Follow us on: