• એમ્સ મેડિકલ બોર્ડે યોગ્ય સારવાર થઈ હોવાનું જણાવ્યું

  • થુથુકુડીમાં પોલીસ ગોળીબારકાંડ માટે અધિકારીઓને જવાબદાર ગણાવ્યા
  • 2016માં ન્યાયમૂર્તિ એ અરુમુઘસ્વામીના વડપણ હેઠળ તપાસ પંચ રચાયું હતું

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનાં મૃત્યુની પરિસ્થિતિઓની તપાસ કરી રહેલી પેનલે જયલલિતાનાં મોત માટે તેની ગાઢ સાથીદાર શશિકલાને દોષિત ગણાવી છે. 2016માં રચવામાં આવેલા ન્યાયમૂર્તિ એ અરુમુઘસ્વામી તપાસ પંચે પોતાના રિપોર્ટને સમાપ્ત કરતાં જણાવ્યું હતું કે વીકે શશિકલાની ભૂલ શોધવી પડશે. પેનલે આ તપાસની ભલામણ કરી હતી. તમિલનાડુ સરકારે વિધાનસભામાં જયલલિતાનાં મોત અને થુથુકુડીમાં 2018માં પોલીસ ફાયરિંગની પરિસ્થિતિઓની તપાસ કરી રહેલાં અલગ-અલગ તપાસ પંચનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે પેનલે શશિકલાની સાથે અન્ય કેટલાક લોકોનાં પણ નામ લીધાં છે. જસ્ટિસ અરુણા જગદીશન કમિશન ઓફ ઇન્કવાયરીએ 2018માં સ્ટરલાઇટ વિરોધી પ્રદર્શનકારીઓ પર થુથુકુડીમાં પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ગોળીબારમાં 13 લોકોના જીવ ગયાં હતાં.

એમ્સ મેડિકલ બોર્ડે યોગ્ય સારવાર થઈ હોવાનું જણાવ્યું

આ અગાઉ 27 ઓગસ્ટે તપાસ પંચે ભૂતપૂર્વ અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ સુપ્રીમોના હોસ્પિટલમાં ભરતી થવાની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ મુખ્યમંત્રી સ્ટાલિને સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે દ્રમુકના નેતૃત્વ ધરાવતી સરકારે શશિકલા, ભૂતપૂર્વ મુખ્ય સચિવ રામમોહન રાવ, ભૂતપૂર્વ હેલ્થ મિનિસ્ટર સી વિજયભાસ્કર અને અન્ય કેટલાક લોકોની તપાસ કરવી જોઇએ. અહેવાલો અનુસાર જયલલિતાના આખરી દિવસોમાં તેની અને શશિકલા વચ્ચેના સંબંધો કથળેલા હતા. નોંધનીય છે કે જયલલિતાને 22 સપ્ટેમ્બર 2016ના રોજ એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં અને પાંચ ડિસેમ્બરે તેમનું મૃત્યું થયું હતું.


  • Follow us on: