ભારતમાં કોરોના વાયરસના કેસમાં દિવસ જાય તેમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 5 જૂને કોરોનાની લેટેસ્ટ અપડેટ શું છે તે વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 4800થી વધારે થઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય કેરળ છે. આ ઉપરાંત કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોના પ્રભાવિત રાજ્યો છે.
2લોકોના મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 564 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 4866 થઇ ગઇ છે. જ્યારે જાન્યુઆરી બાદ દેશમાં કોવિડ-19થી 51 લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આકંડા મુજબ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોના કોરોનાથી મોત થયા છે.જેમાં પાંચ માસના બાળકનો પણ સમાવેશ થાય છે. જેને શ્વાસની તકલીફ હતી. 22 મેના રોજ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 257 હતી જે 31 મેના રોજ વધીને 3395 થઇ ગઇ અને હવે તો આ આંકડો 4800ને પાર પહોંચી ગયો. જે દર્શાવે છે કે કેવો ઝડપી કોરોના વધી રહ્યો છે.
ક્યા રાજ્યમાં કેટલા કેસ ?
24 કલાકમાં કેરળમાં સૌથી વધારે 114 કેસ સામે આવ્યા. જ્યારે કર્ણાટકમાં 112 કેસ, પશ્ચિમ બંગાળમાં 106 કેસ નોંધાયા છે. હાલ કેરળમાં કોરોનાના એક્ટિવ કેસ 1487 છે. જે દેશમાં સૌથી વધારે છે. જે બાદ મહારાષ્ટ્રમાં 526 અને ગુજરાતમાં 508 અને દિલ્હીમાં 562 એક્ટિવ કેસ છે.
શું છે કોરોનાના લક્ષણ
- કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો અથવા દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો જોવા મળે છે.
- ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ગુમાવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે.
- આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે.
- ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે.
- જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સલાહ
- કોવિડ-19 દરમિયાન, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ વધુ કાળજી લેવાની જરૂર છે.
- વૃદ્ધ લોકો (60 વર્ષથી વધુ) અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની કડક સલાહ આપવામાં આવે છે.
- નિયમિતપણે હાથ ધોવા, ખાંસી/છીંક ખાતી વખતે તમારા મોંને ઢાંકો અને તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો.
- જે વિસ્તારોમાં વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે ત્યાં માસ્ક પહેરો.
- જો તમે ભીડવાળી અથવા સારી હવાની અવરજવર ન હોય તેવી જગ્યાએ હોવ, તો માસ્ક પહેરવાથી વાયરસનો ફેલાવો ઓછો થઈ શકે છે.
- જો તમને કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
- કોવિડ-19 કેસોની પ્રારંભિક ઓળખ અને અલગ કરવા માટે પરીક્ષણ એક મહત્વપૂર્ણ પગલું છે.
- કોવિડ પ્રભાવિત દેશોની મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિએ પરીક્ષણ કરાવવું જોઈએ.










