• ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય સીતા સોરેને રાજીનામું આપ્યુ
  • તેમણે આ અંગે એક પત્ર લખીને પાર્ટી અધ્યક્ષ એટલે કે તેમના સસરા શિબુ સોરેનને પત્ર મોકલ્યો
  • સીતાએ કહ્યું કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ એક મોટુ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય સીતા સોરેને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે એક પત્ર લખીને પાર્ટી અધ્યક્ષ એટલે કે તેમના સસરા શિબુ સોરેનને પત્ર મોકલ્યો છે. સીતાએ કહ્યું કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ એક મોટુ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સીતા સોરેને કહ્યું, હું કેન્દ્રીય મહાસચિવ અને ઝારખંડ મુક્તિ મોરચાની સક્રિય સભ્ય છું. હાલમાં હું પાર્ટીની ધારાસભ્ય છું. ખૂબ જ દુઃખી હૃદય સાથે હું મારું રાજીનામું સુપરત કરી રહી છું.

હું હંમેશા તમારી અને પાર્ટીની આભારી રહીશ

સીતાએ કહ્યું, મારા સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેન ઝારખંડ ચળવળના અગ્રણી યોદ્ધા અને મહાન ક્રાંતિકારી હતા. તેમના મૃત્યુથી, હું અને મારો પરિવાર સતત ઉપેક્ષાનો ભોગ બનીએ છીએ. પાર્ટી અને પરિવારના સભ્યો દ્વારા અમને એકલા કરી દેવામાં આવ્યા છે, જે મારા માટે અત્યંત પીડાદાયક રહ્યું છે. મને આશા હતી કે સમય સાથે પરિસ્થિતિ સુધરશે. પરંતુ કમનસીબે એવું ન થયું. ઝારખંડ મુક્તિ મોરચાને મારા સ્વ. પતિએ પોતાના બલિદાન અને સમર્પણ અને નેતૃત્વ ક્ષમતાના બળ પર એક મહાન પાર્ટી બનાવી. આજે એ પાર્ટી નથી રહી. મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે પાર્ટી હવે એવા લોકોના હાથમાં આવી ગઈ છે જેમની દ્રષ્ટિ અને ઉદ્દેશ્યો આપણા મૂલ્યો અને આદર્શો સાથે મેળ ખાતા નથી.

સીતાએ કહ્યું, મારા સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેન ઝારખંડ ચળવળના અગ્રણી યોદ્ધા અને મહાન ક્રાંતિકારી હતા

સીતાએ વધુમાં કહ્યું કે, શિબુ સોરેન (ગુરુજી બાબા)એ અમને બધાને એક રાખવા માટે સખત મહેનત કરી. દુર્ભાગ્યે, તેમના અથાક પ્રયત્નો છતાં, તે નિષ્ફળ ગયો. મને હાલમાં જ ખબર પડી છે કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ એક કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હું અત્યંત દુઃખી છું. મેં નિશ્ચિતપણે નિર્ણય લીધો છે કે મારે ઝારખંડ મુક્તિ મોરચા અને આ પરિવારને છોડવો છે. હું મારી પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી રહી છું. હું હંમેશા તમારી અને પાર્ટીની આભારી રહીશ. મારી શુભકામનાઓ તમારી સાથે છે.

  • Follow us on: