જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે રાજ્યોમાં પ્રદેશ પ્રમખની ચૂંટણી યોજાવાની હતી તે પણ સ્થગિત કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ચૂંટણી સ્થગિત થતાં હાલના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે યથાવત રહેશે. જ્યારે ગુજરાતમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ યથાવત રહેશે.
હાલ પુરતા રાષ્ટ્રીય પ્રમુખ યથાવત રહેશે












