આતિશીએ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળવા તેઓ પહોંચ્યા તો ત્યાં એક ખાલી ખુરશી પણ જોવા મળી હતી. તે વિશે જણાવતા આતિશીએ કહ્યું કે આ ખુરશી કેજરીવાલ પાછા આવશે ત્યાં સુધી મારા આ રૂમમાં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલ આવે તેવી રાહ રહેશે. આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજેપીએ આ મામલે આપ પર નિશાન સાધીને આતિશીના આ નિવેદનને માત્ર ચમચાગીરી ગણાવી છે.


રિમોર્ટ કંટ્રોલથી ચાલશે દિલ્હી સરકાર ?

આ અંગે દિલ્હી બીજેપી જિલ્લાધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આતિશીનો આ નિર્ણય બીજુ કંઇ નહી પણ ચમચાગીરી છે. તેમણે નિશાન સાધતા કહ્યું કે આતિશીએ પોતાના પગલાથી દિલ્હીના મુખ્યમંત્રી પદની ગરિમા તેમજ દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ એક આદર્શ પાલન નથી પણ સીધી ભાષામાં કહીએ તો ચમચાગીરી છે. અરવિંદ કેજરીવાલે જવાબ આપવો જોઈએ કે શું તેઓ આવા રિમોટ કંટ્રોલથી દિલ્હી સરકાર ચલાવશે ?

કેજરીવાલ ફરી બનશે મુખ્યમંત્રી

ઉલ્લેખનીય છે કે સોમવારે ચાર્જ સંભાળતાની સાથે જ આતિશીએ કહ્યું કે આજે મારા મનમાં ભરતનું દર્દ છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી દિલ્હીના લોકો તેમની ઈમાનદારી સાબિત નહીં કરે ત્યાં સુધી તેઓ ખુરશી પર નહી બેસે અને અરવિંદ કેજરીવાલે રાજીનામુ આપી દીધું. દિલ્હીની જનતા ફરી એકવાર અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવશે.


  • Follow us on: