દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. બીજેપીમાં જોડાવવા 16 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને 15-15 કરોડ રૂપિયા અને મંત્રી પદની ઓફર કરવામાં આવી હતી. આ આરોપને લઇને એલજી અને વીકે સક્સેનાએ તપાસનો આદેશ આપતા એસીબીની ટીમ એક્શનમાં આવી હતી. એસીબીની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. આવો જાણીએ આગળ શું થયું.
એસીબીએ નોટિસ ફટકારી
એસીબીની ટીમ તપાસ અને પૂછપરછ માટે કેજરીવાલના ઘરે પહોંચી હતી. મનીષ સિસોદિયા પણ તેમના ઘરે પહોંચ્યા. આ સમગ્ર મામલાને લઈને ઘણા સમય સુધી હોબાળો થયો. આમ આદમી પાર્ટીએ ઘણા વધુ આરોપો અને દાવા કર્યા હતા. આ બધા વચ્ચે, ACB ટીમ હવે કેજરીવાલના ઘરેથી પાછી ફરી છે. એસીબીએ મુકેશ અહલાવતની પણ પૂછપરછ કરી છે. આ પહેલા આપ પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે એસીબી અધિકારીઓ પાસે કોઇ નોટિસ નથી. તેમની પાસે એસીબીનો સ્ટેમ્પ પણ નથી.
એસીબીની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી
આમ આદમી પાર્ટીના કાનૂની વડા સંજીવ નસીયારે કહ્યું કે આ ખૂબ જ આશ્ચર્યજનક છે કે છેલ્લા અડધા કલાકથી અહીં બેઠેલી ACB ટીમ પાસે કોઈ દસ્તાવેજો કે નોટિસ નથી. ટીમના અધિકારીઓ સતત કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છે. અમે તેમને તપાસ માટે નોટિસ માંગી હતી પણ તેમની પાસે કંઈ નથી. ACB ટીમ અહીં કોના નિર્દેશ પર બેઠી છે? આ ભાજપનું રાજકીય નાટક રચવાનું કાવતરું છે અને તેનો ટૂંક સમયમાં પર્દાફાશ થશે.
અરવિંદ કેજરીવાલે શું લગાવ્યો હતો આક્ષેપ ?
અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું કે કેટલીક એજન્સીઓ જણાવી રહી છે કે અપશબ્દો બોલનાર પાર્ટીને 55 થી વધુ બેઠકો મળી રહી છે. છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે કે આમ આદમી પાર્ટી છોડીને તેમની પાર્ટીમાં જોડાઇ જાઓ, અમે તમને મંત્રી બનાવીશું અને દરેકને 15 કરોડ આપીશું. જો તેમની પાર્ટીને 55 થી વધુ બેઠકો મળી રહી છે, તો પછી અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે ? સ્વાભાવિક છે કે આ બનાવટી સર્વે એટલા માટે કરવામાં આવ્યા છે કે આ વાતાવરણ બનાવીને કેટલાક ઉમેદવારોને તોડી શકાય.
15 કરોડ રૂપિયા અને મંત્રી પદની ઓફર
આમ આદમી પાર્ટી સરકારના મંત્રી મુકેશ અહલાવતનો દાવો કર્યો છે કે તેમને ગઈકાલે એક ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પ્રવેશ વર્માએ ફોન કરાવ્યો છે અને તમને મળવા માગે છે. તેમણે મને કહ્યું કે તમે અમારી સાથે આવી જાઓ. આ ફક્ત તમારા ફાયદા માટે છે. આ કોલ વોટ્સએપ પર કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય વિનય મિશ્રાએ પણ આવો જ દાવો કર્યો હતો, તેમણે કહ્યું કે આજે મને અપમાનજનક પાર્ટીના એક નેતાનો ફોન આવ્યો, જેમાં તેમણે ભાજપમાં જોડાવા અને મારી સાથે બીજા MLA ને લાવવા માટે 15 કરોડ રોકડા અને મંત્રી પદની ઓફર કરી. હું અપમાનજનક પક્ષને કહેવા માંગુ છું કે તમે 15 કરોડ રૂપિયા આપો કે 15000 કરોડ રૂપિયા, હું અરવિંદ કેજરીવાલ સાથે હતો, તેમની સાથે છું અને તેમની સાથે રહીશ.