સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રીય માહિતી આયોગ (સીઆઇસી) અને રાજ્ય માહિતી આયોગો (એસઆઇસી)માં ખાલી પડેલાં પદો માટે નકારાત્મક વલણ અપનાવ્યું હતું અને કેન્દ્રને તાત્કાલિક પદો ભરવા માટેનો આદેશ આપ્યો હતો. સીઆઇસીમાં માહિતી કમિશનર્સની સત્વરે નિયુક્તિ કરવાનું કહેતાં જસ્ટિસ સૂર્યકાંત અને એન કોટિશ્વર સિંહની બેંચે કેન્દ્રને કહ્યું, આ પદોને શક્ય એટલી ઝડપથી ભરવાની જરૂર છે.
અન્યથા સંસ્થા હોવાનો શો લાભ, જો આપણી પાસે કામ કરનારા લોકો જ ન હોય તો? બેંચે સીઆઇસી અને એસઆઇસીમાં માત્ર એક વિશેષ શ્રોણીના ઉમેદવારોની પસંદગીની ટીકા કરી અને આ આયોગોમાં બ્યૂરોક્રેટ્સની હાજરી અંગે ન્યાયિક ટિપ્પણી કરવા અંગે વિચાર કર્યો, નહીં કે બધાં ક્ષેત્રોના લોકોની. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, અમે આ તથ્યને ન્યાયિક ધોરણે ધ્યાન પર લઈ શકીએ છીએ કે આખા આયોગમાં માત્ર એક જ શ્રોણીના લોકો કામ કરે છે. માત્ર બ્યૂરોક્રેટ્સની જ નિયુક્તિ શા માટે કરવામાં આવે અને ઘણાં ક્ષેત્રોના લોકોની નિયુક્તિ શા માટે કરવામાં ન આવે. અમે આ મુદ્દે બીજું કશું કહેવા નથી માગતા, પરંતુ આ અંગે વિચાર કરવાની જરૂર છે.










