દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કેજરીવાલ દ્વારા તૈયાર કરવામાં આવેલા શીશ મહેલમાં નહીં રહે. તેમણે કહ્યું કે હું શીશમહેલમાં નહીં રહુ. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપતા પહેલા, જ્યારે રેખા ગુપ્તાને પૂછવામાં આવ્યું કે શું તેઓ શપથ ગ્રહણ પછી શીશ મહેલમાં રોકાશે, તો તેમણે કહ્યું, ના, ના, હું શીશ મહેલમાં નહીં રહુ. બીજેપીના ચૂંટણી વચનનો ઉલ્લેખ કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે 2500 રૂપિયાનો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં દિલ્હીની મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.


8 માર્ચથી મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા આવવાનું શરૂ થઈ જશે

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની જવાબદારી દિલ્હીમાં ભાજપના તમામ 48 ધારાસભ્યોની છે. અમે મહિલાઓને આપવામાં આવતી માસિક સહાય સહિત અમારા તમામ વચનો પૂર્ણ કરીશું. 8 માર્ચથી મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા આવવાનું શરૂ થઈ જશે.

'ખોટું કર્યું'

બીજેપીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તે દિલ્હીમાં સત્તામાં આવશે તો તેના મુખ્યમંત્રી શીશમહેલમાં નહીં રહે. હાલમાં જ દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને ફરિયાદ કરી હતી કે કેજરીવાલનો બંગલો ચાર સરકારી મિલકતોને ખોટી રીતે જોડીને બનાવવામાં આવ્યો છે. આ રદ કરીને કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના મુખ્યમંત્રી શપથ લીધા બાદ આ બંગલામાં નહીં રહે.

અમિત શાહે પણ જાહેરાત કરી હતી

આ સિવાય બીજેપી વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધતા જાહેરાત કરી હતી કે જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો ભાજપના નવા મુખ્યમંત્રી શીશ મહેલમાં નહીં રહે. તેમણે કહ્યું હતું કે અમે તેને લોકોને જોવા માટે ખોલીશું, જેથી લોકો જાણી શકે કે શીશમહેલ કેવો છે.

  • Follow us on: