બાંગ્લાદેશના સત્તાભ્રષ્ટ નેતા શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે પોતાના સમર્થકોને વર્ચ્યુઅલી સંબોધન કરતાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ યુનુસ પર બાંગ્લાદેશના ઇતિહાસને ભૂંસી નાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશના આઝાદીના સંગ્રામમાં અવામી લીગના યોગદાન સાથે જોડાયેલાં


ઇતિહાસને ભૂંસવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેયુંર્ હતું કે મુક્તિ યોદ્ધાઓની યાદને જીવંત રાખતાં સંકુલોને સળગાવવામાં આવી રહ્યા છે ત્યારે શું યુનુસ તેને યોગ્ય ઠેરવી શકશે? શેખ હસીનાએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર યુનુસને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો તેઓ આગ સાથે રમત રમશે તો આ આગ તેને જ સળગાવીને મારી નાખશે. તેમણે યુનુસ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સત્તાની ભૂખ મિટાવવા માટે વિદેશી કાવતરાં હેઠળ દેશના પતનનું કાવતરું ઘડયું હતું.

આ દરમિયાન તેમણે વિદ્યાર્થી પ્રદર્શનકારી નેતા અબુ સઇદની હત્યા પર પણ શંકા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે સઇદ વિદ્યાર્થી નેતા હતો અને જુલાઈ 2024માં એક પ્રદર્શન દરમિયાન તેને ગોળી વાગતાં મોત થયું હતું અને તે પછી આંદોલન હિંસક બન્યું હતું.

અબુ સઇદને સમગ્ર વિરોધ પ્રદર્શનનો ચહેરો બનાવી દેવાયો હતો અને આખરે શેખ હસીનાની સરકારનો ભોગ લેવાયો હતો. વચગાળાની સરકારે સઇદની હત્યા માટે શેખ હસીના સરકારને જવાબદાર ઠેરવી હતી. તેના સંદર્ભમાં શેખ હસીનાએ પોતાના કાર્યકરોને જણાવ્યું હતું કે,પોલીસે તો દેકાવકારો પર રબ્બરની ગોળીઓ છોડી હતી, તેમણે ધાતુની ગોળીઓ ચલાવી જ ન હતી તો પછી અબુ સઇદનું મોત 7.62 MMની ગોળીઓથી કેવી રીતે થયું? તેમણે મોહમ્મદ યુનુસ તરફ શંકાની સોય તાકી હતી.


  • Follow us on: