• PM મોદીના હસ્તે દિલ્હી મેટ્રો કોરિડોરનુ ખાતમુહૂર્ત
  • જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો
  • દિલ્હી મેટ્રોના ફેઝ 4ના બે વધારાના કોરિડોરનો શિલાન્યાસ 

પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ દરમિયાન દિલ્હી મેટ્રોના ફેઝ 4ના બે વધારાના કોરિડોરનો શિલાન્યાસ કર્યો.

સ્વનિધિ યોજના હેઠળ લોન સહાય

[[$googlead]]

[[$alsoread]]

પીએમ મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે હું ગરીબી જીવીને અહીં આવ્યો છું. તેથી જ મોદીએ જેને કોઈએ પૂછ્યું નથી તેને પૂજે છે. જો તમારી પાસે ગેરંટી આપવા માટે કંઈ ન હોય તો ચિંતા કરશો નહીં... મોદી તમારી ગેરંટી લઈ લેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સ્વનિધિ યોજના હેઠળ 5 લાભાર્થીઓને લોન સહાય પૂરી પાડી હતી.


આ કૉરિડોરનું ખાતમુહૂર્ત

પહેલો કોરિડોર લાજપત નગરથી સાકેત જી બ્લોક વચ્ચે હશે. તેની લંબાઈ 8.4 કિલોમીટર હશે. જ્યારે, બીજો કોરિડોર ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ વચ્ચે હશે, જેની લંબાઈ 12.4 કિલોમીટર હશે. આ બંને કોરિડોરનું કામ માર્ચ 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે.


ફેઝ-4ના બે કૉરિડોર

મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે બુધવારે દિલ્હી મેટ્રોના ફેઝ-4 પ્રોજેક્ટના બે નવા કોરિડોરને મંજૂરી આપી છે .લાજપત નગરથી સાકેત જી-બ્લોક અને ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ. બંને કોરિડોરનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 8,399 કરોડ હોવાનો અંદાજ છે, જે કેન્દ્ર અને દિલ્હી સરકારો અને આંતરરાષ્ટ્રીય ભંડોળ એજન્સીઓ પાસેથી એકત્ર કરવામાં આવશે. આ બે લાઇન 20.762 કિમીને આવરી લેશે.

શું હશે કોરિડોરની વિશેષતા ?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લાજપત નગર અને સાકેત વચ્ચે બનાવવામાં આવનાર મેટ્રો બ્લોક સિલ્વર, મેજેન્ટા, પિંક અને વાયોલેટ લાઇનને જોડશે. તેના પર આઠ સ્ટેશન હશે અને તે સંપૂર્ણ રીતે એલિવેટેડ હશે .કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઈન્દ્રલોક અને ઈન્દ્રપ્રસ્થ વચ્ચે બનાવવામાં આવનાર 12.377 કિમીના કોરિડોર દ્વારા ગ્રીન લાઈનને લંબાવવામાં આવશે. તેના મુસાફરોને લાલ, પીળી, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લુ લાઇન સાથે અદલાબદલી કરવાની સુવિધા મળશે. હરિયાણાના બહાદુરગઢ વિસ્તારના લોકોને આ કોરિડોર દ્વારા સારી કનેક્ટિવિટી મળશે.

  • Follow us on: