ભારત કોઈથી ડરતો નથી. ભારત ક્યારેય અન્ય દેશોને પોતાની પસંદગી પર વિટોનો ઉપયોગ કરવા દેશે નહીં તેમ મુંબઈ ખાતેનાં એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારત પોતાનાં રાષ્ટ્રીય હિતમાં અને વિશ્વનાં કલ્યાણ માટે જે કંઈ જરૂરી હશે તે ડર્યા વિના કરશે.
ભારતનાં નિર્ણયો પર વીટો લગાવવાની વાત કરનાર વિશ્વને જયશંકરે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારતનાં હિતો પર કોઈ વિટો લગાવી શકશે નહીં. તેમણે P-5 દેશોને તેમની મર્યાદામાં રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અઝહર મસૂદ હોય કે જ S-400 મિસાઈલ્સનો સોદો, અમારા હિતો પર કોઈ દેશ વિટો લગાવી શકશે નહીં. જયશંકરે કહ્યું કે, ભારત જ્યારે વૈશ્વિક સ્તરે ઊંડાણથી જોડાય છે ત્યારે તેનાં પરિણામ પણ ઊંડા અને ધારદાર આવે છે. ભારતનાં સમૃદ્ધ વારસાથી વિશ્વને ઘણું બધું શીખવા મળશે. પણ આના માટે ભારતીયોએ પોતાનાં પર ગર્વ કરવો પડશે.










