સીજેઆઇ ડી.વાય. ચંદ્રચૂડે શનિવારે બાલ સંરક્ષણ પરના નવમા રાષ્ટ્રીય વાર્ષિક હિતધારક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં સંબોધન કરતાં સીજેઆઇએ કહ્યું કે દિવ્યાંગ લોકોના પડકારો શારીરિક કરતાં પણ વધારે છે. તેમણે શારીરિક પડકારોની સાથોસાથ સમાજમાં ફેલાયેલા પૂર્વગ્રહો, રૂઢિઓ અને ખોટી ધારણાઓ સામે પણ ઝઝૂમવાનું હોય છે.
સીજેઆઇએ કહ્યું કે, પોલીસ સ્ટેશનથી લઈને અદાલતો સુધી સમગ્ર ન્યાયવ્યવસ્થાએ દિવ્યાંગ બાળકોની મુશ્કેલીઓ સમજવી જોઈએ અને તેના સમાધાન પર ધ્યાન આપવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પોલીસ સ્ટેશનોથી લઈને ન્યાયાલયો સુધી ન્યાય પ્રણાલી આ બાળકોની પરેશાનીઓ સમજે અને તેનું સમાધાન કરે. કિશોર ન્યાય અધિનિયમ દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને સામુદાયિક સેવા જેવા વિભિન્ન પુનર્વાસ અને પુનઃ એકીકરણ ઉપાયોની રૂપરેખા તૈયાર કરે છે. દિવ્યાંગ બાળકો માટે આ ઉપાયોને અનુકૂળ કરી શકાય છે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે તેમને તે વિશેષ સહાય મળે જેની તેમને સફળ થવા માટે જરૂર છે.










