આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં જવાની અટકળો પર બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યુ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે પંજાબ સરકાર રિમોટ કંટ્રોલ પર ચાલે છે. તો હું પંજાબના લોકોને પૂછવા માંગુ છું કે, શું તમે ઈચ્છો છો કે અરવિંદ કેજરીવાલ, જે રિમોટ કંટ્રોલથી રાજ્ય ચલાવે છે, તેઓ પંજાબના સાંસદ બને?
આપ પર અનુરાગ ઠાકુરના પ્રહાર 

આ ઉપરાંત દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે વિધાનસભામાં 14 CAG રિપોર્ટ રજૂ કરતા અટકાવવામાં આવ્યા હતા. AAP અને અરવિંદ કેજરીવાલ ઇચ્છતા હતા કે તેમનો ભ્રષ્ટાચાર દુનિયા સમક્ષ ન આવે અને તેની ચર્ચા ન થાય..

CAG રિપોર્ટ પર અનુરાગ ઠાકુરે શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું હતું કે અમે સત્તામાં આવ્યા પછી રિપોર્ટ રજૂ કરીશું અને સીએમ રેખા ગુપ્તાએ તેમ કર્યું છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટરમાઈન્ડ છે. પોતાની છબી બચાવવા માટે, તેઓ તેમના રાજ્યસભાના સાંસદો પાસેથી તેમના ઘર ખાલી કરાવી રહ્યા છે અને પાછલા દરવાજેથી રાજ્યસભામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ તાજેતરમાં આ બાબતે કહ્યું હતું કે આ CAG રિપોર્ટ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના દુષ્કૃત્યોનો પર્દાફાશ કરે છે. તે સમજાવે છે કે AAP એ દિલ્હીના લોકોને કેવી રીતે લૂંટ્યા અને છેતર્યા છે. કેવી રીતે તેઓએ રહેણાંક અને ધાર્મિક સ્થળોએ દુકાનો ખોલી.

2002 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો
સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ દિલ્હી સરકારે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દ્વારા કરવામાં આવેલા દારૂ કૌભાંડ સંબંધિત CAG રિપોર્ટને જાહેર કર્યો છે.' આ બાબતે દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું, 'વિપક્ષ જાણતો હતો કે CAG રિપોર્ટ આવવાનો છે. એટલા માટે તેઓએ ગઈકાલથી વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું. બીઆર આંબેડકરના ફોટા અને ભગત સિંહના ફોટાનો મુદ્દો, આ બધું નકલી છે. આવી કોઈ સમસ્યા નથી. CAG રિપોર્ટ દર્શાવે છે કે 2,002 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.
  • Follow us on: