• અરવિંદ કેજરીવાલ હાલ વચગાળાના જામીન પર છે બહાર
  • વધુ 7 દિવસના જામીન માગતી કેજરીવાલે કરી હતી અરજી
  • scએ કહ્યું આ મામલે તુરંત સુનાવણી નહી થાય
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ મની લોન્ડ્રિંગ મામલે હાલ વચગાળાના જામીન પર બહાર છે. 2 જૂને તેમને હાજર થવાનું છે. ત્યારે અરવિંદ કેજરીવાલે 7 દિવસ વધારે જામીન મેળવવાની અરજી કરી હતી, આ મામલે સુપ્રિમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ઝટકો આપ્યો છે.

2જૂને જવુ પડશે જેલ 
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વચગાળાના જામીનને એક સપ્તાહ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી કેજરીવાલને 2 જૂને જેલમાં જવું પડે તેવી શક્યતા વધી ગઈ છે.

કેજરીવાલ જલ્દી ઇચ્છે છે સુનાવણી
મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી ઈચ્છે છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું છે કે અરજીની યાદી પર નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા લેવામાં આવશે, કારણ કે મુખ્ય કેસમાં નિર્ણય હજુ પણ અનામત છે. સુપ્રીમ કોર્ટે અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે ગયા અઠવાડિયે જ્યારે મુખ્ય બેંચના જજ જસ્ટિસ દત્તા બેઠા હતા ત્યારે અરજી શા માટે દાખલ કરવામાં આવી ન હતી.
જામીન 7 દિવસ વધારવા અરજી કરી હતી
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમણે 2 જૂને આત્મસમર્પણ કરીને જેલમાં જવું પડશે. ત્યારે સોમવારે અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે. તેમને કિડનીની ગંભીર સમસ્યા અથવા કેન્સરનું લક્ષણ ગણાવતા, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ડોક્ટરોએ તેમને PET-CT સ્કેન સહિત અનેક પરીક્ષણો કરાવવા કહ્યું છે અને આ માટે તેમને સમયની જરૂર છે.
  • Follow us on: