દેશમાં ભલે 89 ટકા લોકો હૃદય રોગના લક્ષણો અંગે જાગરૂક હોવાનો દાવો કરે છે પણ એક લેટેસ્ટ અભ્યાસમાં જાણકારી મળી છે કે દેશમાં દરેક ચાર લોકોએ ફક્ત એકને એટલે કે ફક્ત 25 ટકા લોકો જ હૃદય રોગના લક્ષણોની સચોટ ઓળખ કરી શકે છે. ફક્ત 40 ટકા લોકો જ છાતીમાં દર્દ અથવા બેચેનીને હૃદય સંબંધી સમસ્યાઓ સાથે જોડે છે.
ફક્ત 36 ટકા લોકો શ્વાસની તકલીફને એક સંભવિત લક્ષણના રૂપમાં ઓળખે છે. દેશની ખાનગી વિમા કંપનીના સરવેમાં આ બાબત સામે આવી છે. કંપનીએ સરવેના આધાર પર ઈન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ 2024ની સાતમી એડિશન બહાર પાડી છે.










