જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે. આ હુમલા પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન સામે ઘણા કડક નિર્ણયો લીધા.
આમાં સૌથી કઠિન નિર્ણય પાણી અને પાકિસ્તાનીઓના દેશ છોડવા અંગેનો હતો. ઓપરેશન સિંદૂર પછી આ તણાવ વધુ વધ્યો. જોકે, બંને દેશો વચ્ચે 10 મેના રોજ સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, આજે એટલે કે 11 મેના રોજ ચિનાબ નદી પર બનેલા બંધમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું. પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી રૂપે સિંધુ જળ સંધિ રદ્દ કરી દીધી છે. ભારતે ચિનાબ નદી પર આવેલા બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકી દીધું હતું. આના કારણે પાકિસ્તાનમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર ઘટી ગયું અને સુકાવા લાગ્યું હતું. ભારતે પાણીનો પુરવઠો બંધ કર્યા પછી પાકિસ્તાનને મોટું નુકસાન થયું.













