• કર્ણાટકમાં વકર્યો કોરોના
  • આરોગ્ય મંત્રીએ કહ્યું ગભરાવવાની જરૂર નહી
  • બીમાર વ્યક્તિઓને માસ્ક પહેરવાની આપી સલાહ
દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે સોમવારે એક એડવાઈઝરી બહાર પાડી છે. છે. તેમણે વરિષ્ઠ નાગરિકો અને અન્ય રોગોથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

બીમાર વ્યક્તિએ માસ્ક પહેરવું
કર્ણાટકના કોડાગુમાં પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી... અમે ટૂંક સમયમાં એડવાઈઝરી બહાર પાડીશું. પરંતુ જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અને તેમને હૃદયની સમસ્યા હોય તો તેમણે માસ્ક પહેરવું જોઈએ.

શ્વાસની તકલીફ વાળાએ ટેસ્ટ કરાવવો
સાથે જ કહ્યું કે અમે સરકારી હોસ્પિટલોને તૈયાર રહેવા કહ્યું છે. કેરળ સાથે સરહદ વહેંચતા વિસ્તારોએ વધુ સાવચેત રહેવું જોઈએ. મેંગ્લોર, ચમનાજાનગર અને કોડાગુએ એલર્ટ રહેવું જોઈએ. કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવશે. જે લોકોને શ્વાસની તકલીફ હોય તેમણે ફરજિયાતપણે ટેસ્ટ કરાવવો પડશે.

કેરળ વિધાનસભામાં ઉછળ્યો મુદ્દો
આ દરમિયાન કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીસને રાજ્ય સરકાર પર કોવિડ-19ના નવા પ્રકાર JN.1 ફેલાવતા રોકવા માટે કોઈ યોગ્ય પગલાં ન લેવાનો આરોપ મૂક્યો હતો. સતીસને સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે દેશમાં કોવિડના 89 ટકા કેસ આ રાજ્યમાં હોવા છતાં કેરળ સરકારે આ અંગે શું પગલાં લીધાં છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દેશભરમાં કોવિડના 1,800 થી વધુ કેસમાંથી, કેરળમાં 1,600 થી વધુ કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય સ્તરના અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું કે, રવિવારે કેરળમાં ચાર લોકોના મોત થયા હતા અને 111 નવા કેસ નોંધાયા હતા.તેમણે કહ્યું કે, લોકો વાયરસથી ડરે તે પહેલા સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં જોવા મળતું કોવિડ-19 જેએન.1નું નવું પેટા સ્વરૂપ ચિંતાનું કારણ નથી.

  • Follow us on: