• જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં છઠ્ઠી વખત ભૂકંપના આંચકા અનુભવાયા
  • લેહ, લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 4.3 હતી
  • ભૂકંપ બાદ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં છઠ્ઠી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે (18 જૂન) સવારે 8.28 વાગ્યે લેહ, લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 4.3 હતી. આ પહેલા પણ 5 વખત ભૂકંપ આવી ચૂક્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે (17 જૂન) બપોરે 2:30 વાગ્યે પહેલો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 3.0 હતી.

ત્યાર બાદ લેહમાં બીજો આંચકો અનુભવાયો હતો જે શનિવારે રાત્રે લગભગ 9.44 કલાકે આવ્યો હતો અને જેની તીવ્રતા 4.5 હતી. ત્રીજો આંચકો જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભારત-ચીન સરહદ પાસે રાત્રે 9.55 વાગ્યે આવ્યો આ ભૂકંપની તીવ્રતા 4.4 હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરપૂર્વ લેહમાં ચોથો ભૂકંપ રવિવારે સવારે 2.16 વાગ્યે અનુભવાયો હતો જેની તીવ્રતા 4.1 હતી. જો કે ભૂકંપ બાદ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ત્યાર બાદ રવિવારે સવારે 3.50 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કટરામાં પાંચમો અને છેલ્લો આંચકો અનુભવાયો જેની તીવ્રતા ફરી 4.1 હતી.


છેલ્લા 5 દિવસમાં આટલા ભૂકંપ આવ્યા

ભારતીય હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બપોરે 2 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથેના પહાડી રામબન જિલ્લામાં હતું. ભૂકંપની ઊંડાઈ સપાટીથી પાંચ કિલોમીટર નીચે 33.31 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 75.19 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતી.
જમ્મુ-કાશ્મીરમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ડોડા જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં આ સાતમો ભૂકંપ હતો. આ સાથે ચિનાબ ઘાટીમાં આઠ કલાકમાં 3.0 અને 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરને ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો આ આંચકા ખાસ કરીને ડોડા, કિશ્તવાડ અને રામબનમાં અનુભવાયા હતા.


  • Follow us on: