- નેપાળ બાદ ભારતનાં રાજ્યોમાં અનુભવાયા આંચકા
- દિલ્હી અને ઉત્તરપ્રદેશ બાદ મણિપુરમાં ધરતીકંપ
- એનએસસીએ ટ્વીટ કરીને આપી માહિતી
ભારતની ઉત્તર પૂર્વે આવેલા રાજ્ય મણિપુરના ચુરાચંદપુરમાં રવિવારે સાંજે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર રવિવારે સાંજે 5:42 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા શુક્રવારે નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવતાં દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા હતા.
એનએસસીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી













