• ઈડીએ સ્પેશયલ કોર્ટમાં સોંગદનામું રજુ કરી વિરોધ કર્યો
  • NCPના બંને નેતાઓએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની માંગ સાથે કોર્ટમાં અરજી કરી
  • આ કેસની વધું સુનાવણી બુધવારના રોજ હાથ ધરાશે

રાજ્યસભાની કેટલીક બેઠકો માટે 10મી જૂને મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના બે ધારાસભ્યો અનિલ દેશમુખ અને નવાબ મલિક તરફે સ્પેશયલ PMLA કોર્ટમાં મતદાન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરેલી અરજીનો ઈડીએ મંગળવારે વિરોધ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી બુધવારે હાથ ધરાઈ શકે છે.

ઈડી દ્વારા સ્પેશયલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં જણાવવામાં આવ્યું છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1960ની કલમ 62(5) મુજબ જે પણ વ્યકિત જેલમાં હોય અથવા તો પોલીસની કાયદેસર કસ્ટડીમાં હોય ત્યારે મતદાન ન કરી શકે. સ્પેશયલ PMLA કોર્ટ જે મની લોન્ડરિંગ અને MP, MLAને લગતા કેસોની સુનાવણી કરે છે.

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખે એક દિવસ માટે જામીન મેળવવા માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી છે, જ્યારે કેબિનેટ મંત્રી નવાબ મલિક હાલ હોસ્પિટલમાં હોવાથી તેમને મેડિકલ કર્મચારી સાથે વિધાનસભા જઈ મતદાન કરવા દેવાની છુટ આપવામાં એવી અરજી કરી હતી.

મુંબઈ અર્થર જેલમાં બંધ અનિલ દેશમુખ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માંગે છે અને મતદાન કરવા જતી વખતે સાથે રાખવામાં આવતા એસ્કોર્ટના ચાર્જની ચૂકવણી પમ કરી દીધી છે. બંને નવાબ મલિક અને અનિલ દેશમુખ NCPના નેતા છે. બંને નેતાઓ સામે ઈડી દ્વારા મની લોન્ડરિંગના કેસ દાખલ કરવામાં આવ્યા છે. અનિલ દેશમુખની ધરપકડ નવેમ્બર -2021માં કરવામાં આવી છે,જ્યારે નવાબ મલિકની ચાલું વર્ષની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી.


  • Follow us on: