- કેબિનેટની બેઠકમાં PM મોદીનું નિવેદન
- 10 વર્ષ સારું કામ કર્યું, આગળ પણ સારું કામ કરીશું : PM
- બધાએ સારું કામ કર્યું : PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી કેબિનેટમાં કહ્યું હતું કે, જીત અને હાર એ રાજકારણનો એક ભાગ છે. ચૂંટણીના રાજકારણ અને પરિણામોમાં આંકડાની રમત ચાલુ રહે છે. તેમનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના બીજા કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠક યોજી હતી. આ પછી તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. હવે તેઓ 8 જૂને તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લઈ શકે છે. આ દરમિયાન PM મોદીએ છેલ્લી કેબિનેટમાં તેમના સાથીઓને કહ્યું કે જીત અને હાર એ રાજકારણનો એક ભાગ છે. નંબરોની રમત ચાલુ રહે છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. ફરી એકવાર, મોદી સરકાર સત્તામાં રહેશે કે કેમ કે ઇન્ડિયા ગઠબંધન કોઈ રમત રમશે તે અંગે સસ્પેન્સ છે. યુપી-બિહારથી લઈને દિલ્હી અને મહારાષ્ટ્ર સુધી જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. એનડીએ કે ઈન્ડિયા એલાયન્સ…બધી નજર હવે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર છે કે નવી સરકાર કોણ બનશે. ઈન્ડિયા એલાયન્સ સરકાર બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે તેઓ એનડીએ સાથે છે અને રહેશે.
PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું
PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું. તેમનું રાજીનામું સ્વીકારીને, રાષ્ટ્રપતિએ તેમને અને મંત્રી પરિષદને વિનંતી કરી છે કે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી પદ પર કાર્યસંભાળતા રહે.
નરેન્દ્ર મોદી 8 જૂને પીએમ પદના શપથ લઈ શકે છે
લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે.