• કોલકાતાના એક મોલમાં શુક્રવારે ભીષણ આગ
  • મોલમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા 
  • ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે લાગી કામે

કોલકાતાના એક મોલમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે કોલકાતાના એક્રોપોલિસ મોલમાં આગની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગે આગ ઓલવવા માટે ઓછામાં ઓછી 10 ગાડીઓ મોકલી હતી.

ફાયર વિભાગના અધિકારીઓ મોલની અંદર કાર્યરત ઓફિસોમાંથી લોકોને બહાર કાઢી રહ્યા છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનો વાસ્તવિક સ્ત્રોત હજુ અજ્ઞાત છે. કેટલાક વિડિયોમાં આગ લાગ્યા બાદ લોકો મોલની બહાર દોડતા જોવા મળ્યા હતા.

[[$googlead]]

મંગળવાર પછી કોલકાતામાં આવી બીજી ઘટના બની છે. આ પહેલા મંગળવારે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગની ઘટનાથી વ્યસ્ત બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિક પોલીસ અને ફાયરના અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

[[$alsoread]]

  • Follow us on: