- કોચિંગ સેન્ટર્સની મનમાની પર અંકુશ લાદવા સરકારે નવી ગાઇડલાઇનનો મુસદ્દો તૈયાર કર્યો
- દરેક કોચિંગ ક્લાસ હવેથી પોતાની જાહેરાતોમાં 100 ટકા સિલેક્શન કે નોકરી અપાવવાનો દાવો નહીં કરી શકે
- ગ્રાહક બાબતોના મંત્રાલયે નવી ગાઇડલાઇનને જાહેર કરી જનતા પાસે 30 દિવસમાં તેમનો અભિપ્રાય માગ્યો
દેશમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અને પોતાની મનમાની ચલાવતા કોચિંગ સેન્ટર્સ સામે હવે સરકારે પોતાની આંખ કરડી કરી છે. કેન્દ્ર સરકાર હવે મોટી-મોટી વાતો મારતા કોચિંગ સેન્ટર્સ પર શિકંજો કસવાની તૈયારીમાં છે. સરકાર કોચિંગ સેન્ટર્સની મનમાનીને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને હવે તેણે આ દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ પણ કરી છે. આ કોચિંગ સેન્ટર્સની મનમાની રોકવા માટે સરકારે તૈયારી કરી છે. કોચિંગ સેન્ટર્સની ભ્રામક જાહેરાતો સામે લગામ કસવા માટે હવે સરકારે એક નવી ગાઇડલાઇનનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે કોગિં સેન્ટર્સ 100 ટકા સિલેક્શન અથવા તો કોર્સ બાદ નોકરી અપાવવાનો કોઇપણ પ્રકારનો દાવો પોતાની જાહેરાતોમાં નહીં કરી શકે. કોચિંગ સેન્ટર્સની મનમાનીને રોકવા માટે સેન્ટ્રલ કન્ઝયૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ આ નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અને હવે તેને જાહેર કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જનતા પાસે આ મુસદ્દા પર 30 દિવસમાં તેમનો અભિપ્રાય માગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ કોચિંગ સંસ્થા જરૂરી જાણકારીને જાહેરાતમાં છુપાવી નહીં શકે. ઉલ્લેખનીય છે કે કોચિંગ સંસ્થાઓ મોટાભાગે પોતાની જાહેરાતોમાં મહત્ત્વપૂર્ણ જાણકારીઓ છુપાવી લેતી હોય છે. જેમ કે કોર્ટ પેઇડ છે કે પછી ફ્રી, કોર્સની ડયૂરેશન શું છે? સફળ કેન્ડિડેટે કયો કોર્સ પસંદ કર્યો હતો અને તેમણે કેટલા દિવસ સુધી કોચિંગ કર્યુ હતું. ઉપરાંત જાહેરાતોમાં સંસ્થાના સફળતાના દર અંગે ખોટી માહિતી પણ નહીં આપી શકાય. કોચિંગ સંસ્થાઓ કોઇપણ પ્રકારના પુરાવા વિનાજ રેન્કિંગ અને પસંદગીનો દાવો કરતા હોય છે.
મંજૂરી વિના કેન્ડિડેટનો ફોટો નહીં વાપરી શકાય










