• એડવોકેટ કમિશ્નર અજય મિશ્રાની હાજરીમાં 6-7 મેના રોજ થયો હતો સર્વે
  • અજય મિશ્રાએ જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો
  • જ્ઞાનવાપી સંકુલમાં ઉત્તરથી પશ્ચિમના દિવાલના ખૂણા પર જૂના મંદિરોનો કાટમાળ મળ્યો

પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ રજૂ કરી દીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સર્વે રિપોર્ટમાં અજય મિશ્રાએ દાવો કર્યો છે કે જ્ઞાનવાપી સંકુલમાં ઉત્તરથી પશ્ચિમ દિવાલના ખૂણા પર જૂના મંદિરોનો કાટમાળ મળ્યો હતો જેના પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધતાં સીમના મધ્યમાં શેષનાગની કલાકૃતિ અને નાગફણી જેવી આકૃતિઓ પણ જોવા મળી છે.

વારાણસી કોર્ટના આદેશ પર એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ 6 અને 7 મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કર્યો હતો. જોકે બાદમાં વિરોધને કારણે તેમણે આ સર્વે અટકાવવો પડ્યો હતો. ત્યારબાદ મુસ્લિમ પક્ષે એડવોકેટ કમિશનર અજય મિશ્રાને કોર્ટમાંથી હટાવવાની માંગણી કરી હતી. જો કે કોર્ટે અજય મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત વિશાલ સિંહ અને અજય સિંહની પણ કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને 17 મે સુધીમાં રજૂઆત કરવાનો આદેશ આપ્યો હતો.

અજય મિશ્રાએ રિપોર્ટમાં આ દાવો કર્યો છે

હવે અજય મિશ્રાએ 6 મે અને 7 મેના રોજ કરાયેલા સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. તે સમયે તેઓ એકમાત્ર કોર્ટ કમિશનર હતા. આ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ ડેટા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

રિપોર્ટમાં આ બાબતોનો કરાયો છે ઉલ્લેખ

અહેવાલ મુજબ 6 મેના રોજ કરવામાં આવેલા સર્વે દરમિયાન બેરિકેડિંગની બહાર ઉત્તરથી પશ્ચિમ દિવાલના ખૂણા પર જૂના મંદિરોનો કાટમાળ મળી આવ્યો હતો, જેના પર દેવી-દેવતાઓની આર્ટવર્ક બનાવેલી જોવા મળી હતી અને અન્ય શિલાપટ્ટ હતા. જેના પર કમળની કલાકૃતિ જોવા મળી હતી. પત્થરોની અંદરની બાજુએ કેટલીક કલાકૃતિઓ સ્પષ્ટપણે કમળ અને અન્ય આકૃતિઓ હતી. ઉત્તર-પશ્ચિમ ખૂણા પર બેલાસ્ટ સિમેન્ટમાંથી ચબૂતરાનું નવું બાંધકામ જોઈ શકાય છે. ઉપરોક્ત તમામ શિક્ષા પટ્ટ અને આકૃતિઓની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. ઉત્તરથી પશ્ચિમ તરફ જતા શેષનાગની કલાકૃતિ, એક નાગફણી જેવી આકૃતિ જોવા મળી હતી. શિલાપટ્ટ પર સિંદૂરી રંગની ઉભરતી કલાકૃતિઓ પણ હતી. શિલાપટ્ટ પર દેવ વિગ્રહ જેમાં ચાર મૂર્તિઓનો આકાર બનાવવામાં આવ્યો છે જેને સિંદૂર રંગથી રંગવામાં આવ્યો છે, ચોથી આકૃતિ જે મૂર્તિ જેવી લાગે છે તેના પર સિંદૂરનો મોટો લેપ લગાયેલે છે.


  • Follow us on: