• પંચ કેદારમાં બીજા કેદાર ભગવાન મદમહેશ્વરના દ્વાર ખૂલ્યા
  • દ્વાર ખોલવાના પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત
  • મદમહેશ્વરનું મંદિર સમુદ્ર સપાટીથી 3470 મી. ઉંચાઈએ સ્થિત

પંચ કેદારમાં બીજા કેદાર ભગવાન મદમહેશ્વરના દ્વાર આજે વિધી-વિધાનથી ખોલવામાં આવ્યા હતા. ગ્રીષ્મ સમય દરમિયાન દર્શન માટે દ્વાર ખુલવાને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાદ્ય યંત્રોની ધૂન અને જયઘોષ સાથે દ્વાર ખોલવામાં આવ્યા હતા. હવે ભક્તો પંચ કેદારના પણ દર્શન કરી શકશે. ઉનાળાના છ મહિના સુધી મહાદેવના દ્વાર ખુલ્લા રહેશે. દ્વાર ખોલતા પહેલા મદમહેશ્વર મંદિરનો ભવ્ય શણગાર ફૂલોથી કરવામાં આવ્યો હતો. બીજા કેદાર મદમહેશ્વર ધામમાં ભગવાન શિવના મધ્ય ભાગની પૂજા કરવામાં આવે છે.

ગૌંડાર ગામથી ધામ પહોંચતા ભગવાન મદમહેશ્વરની પાલખીનું સ્વાગત
મદમહેશ્વર ધામ રુદ્રપ્રયાગના સરહદી ગામ ગૌંડારથી 16 કિલોમીટરનું ચઢાણ પાર કરીને પહોંચી શકાય છે. ગૌંડાર બાબા કેદારનું શિયાળુ સ્થળ ઓમકારેશ્વર મંદિરથી લગભગ 30 કિમી દૂર આવેલું છે. 20 મેના રોજ, બીજા કેદાર ભગવાન મદમહેશ્વરની પાલખી, શીતકાલિન બેઠક ઓમકારેશ્વર મંદિરથી ધામ જવા નીકળી હતી. આજે ગૌંડાર ગામેથી ધામ પહોંચતા ભગવાન મદમહેશ્વરની પાલખીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગે પાલખી પહોંચતા જ મદમહેશ્વર ભગવાનના દ્વાર ખુલી ગયા હતા. દ્વાર ખોલવાના પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

સવારે 11 વાગ્યે ઉનાળાના દર્શન માટે ખૂબ જ ઉત્સાહ સાથે દ્વાર ખુલે છે
તમને જણાવી દઈએ કે ભગવાન મદમહેશ્વરનું મંદિર સમુદ્ર સપાટીથી 3470 મીટરની ઉંચાઈ પર આવેલું છે. સ્થાનિક અધિકાર ધારક શિવ સિંહ પંવારે જણાવ્યું કે આજે સવારે 11 વાગ્યે સામાન્ય ભક્તો માટે દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. 19 મેના રોજ, બ્રહ્મ બેલા પર, ગૌંડારના મુખ્ય પૂજારી શિવ શંકરે ભગવાન મદમહેશ્વર સહિત 33 કરોડ દેવતાઓનું આહ્વાન કર્યું હતું. સવારે 6 કલાકે ભગવાન મદમહેશ્વરના ચલ વિગ્રહ ઉત્સવ પાલખીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આરતી કર્યા બાદ ગૌંડાર ગામથી પાલખી કૈલાસ જવા રવાના થઈ હતી. 

  • Follow us on: