- SITના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે
- ADG આગ્રા અને અલીગઢ કમિશનરના નેતૃત્વમાં કેસની તપાસ ચાલી રહી છે
- દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના નિર્દેશ આપ્યા હતા
હાથરસ નાસભાગ કેસમાં SITએ ગયા શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં 100 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. હવે આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટના આધારે SDM અને CO વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે બંનેને સસ્પેન્ડ કર્યા છે.
ADG આગ્રા અને અલીગઢ કમિશનરના નેતૃત્વમાં કેસની તપાસ ચાલી રહી છે
એસડીએમ અને સીઓ સહિત છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SITના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ADG આગ્રા અને અલીગઢ કમિશનરના નેતૃત્વમાં કેસની તપાસ ચાલી રહી છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના નિર્દેશ આપ્યા હતા. આ માટે તેમણે એક કમિટી પણ બનાવી હતી.
રિપોર્ટ સબમિટ કરવામાં વિલંબ થયો હતો
એસઆઈટીમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને ડિવિઝનલ કમિશનર ચૈત્રા વીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને સરકાર દ્વારા 24 કલાકમાં તપાસ રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી હતી. જો કે સરકાર દ્વારા ગયા બુધવાર સુધીમાં અહેવાલ સુપરત કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સીએમ યોગીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવાના કારણે તપાસ અહેવાલ નિર્ધારિત સમયગાળામાં રજૂ કરી શકાયો નથી.
તપાસ રિપોર્ટ તૈયાર કરવા માટે સરકાર પાસે ત્રણ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો
આ પછી અધિકારીઓએ પોતાનો તપાસ રિપોર્ટ તૈયાર કરવા માટે સરકાર પાસે ત્રણ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. હવે તપાસ રિપોર્ટ આવ્યા બાદ સરકાર આગામી દિવસોમાં શું પગલા ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
હાથરસમાં બાબા સાકર હરિના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું
ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા સાકર હરિના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમમાં 80 હજાર લોકોને ભાગ લેવા માટે વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2.5 લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ લોકોનો બહાર જવાનો સમય થયો ત્યારે નાસભાગ મચી ગઈ હતી.