- આજે મુસ્લિમ પક્ષના વકીલે દલીલો રજૂ કરી
- જિલ્લા ન્યાયાધીશ ભવનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત
- મુસ્લિમ પક્ષના વકીલને સિવિલ પ્રોસિજર કોડ 7ના નિયમ 11 પર દલીલ રજૂ કરવાની તક મળી
કાશી વિશ્વનાથ મંદિરને લગતા જ્ઞાનવાપી કેસના મેરિટ પર વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 30 મેના રોજ, કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળ્યા પછી,સુનાવણી 4 જુલાઈ સુધી મુલતવી રાખી હતી. આજે પણ મુસ્લિમ પક્ષના વકીલે દલીલો રજૂ કરી હતી. જે બાદ કોર્ટે સુનાવણી 12 જુલાઈ સુધી સુનાવણી ટાળી દીધી છે. 12 જુલાઇએ પણ મુસ્લિમ પક્ષ પોતાની દલીલો રજૂ કરશે.
સુપ્રીમ કોર્ટના આદેશ પર,વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં, સૌથી પહેલા સિવિલ પ્રોસિજર કોડ 7ના નિયમ 11 પર, મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવને દલીલ રજૂ કરવાની તક મળી છે. જે પરથી નક્કી થશે કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ સુનાવણી યોગ્ય છે કે નથી.










