જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પુનઃસ્થાપિત કરવા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને લઇને ગઇકાલે પણ સદનમાં ભારે હોબાળો થયો હતો. જો કે આજે પણ સવારથી સદન તોફાની જોવા મળ્યુ. કલમ 370ને લઇને બેનર દર્શાવતા પક્ષ અને વિપક્ષ તો છુટ્ટા હાથની મારામારી પર આવી ગયા હતા. આ મામલે જમ્મુ કાશ્મીરમાં હાલ રાજકારણ ભારે ગરમાયુ છે. ત્યારે આ મામલે બીજેપી આકરાપાણીએ જોવા મળ્યું.

કાશ્મીરમાં 370 પુનઃ સ્થાપિત નહી થાય- સ્મૃતિ ઇરાની
બીજેપી નેતા સ્મૃતિ ઇરાનીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ઘટનાને વખોડી હતી. તેમણે કહ્યુ કે કાશ્મીરમાં 370 પુનઃ સ્થાપિત નહી થાય. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ દેશને તોડવાનું કામ કરે છે. વધુમાં કહ્યું કે INDI ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં ભારતના બંધારણનું ગળું દબાવવાની હિંમત ધરાવે છે... ગઈકાલે INDI ગઠબંધન દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ હેઠળ, તેઓ જમ્મુ અને કાશ્મીરમાં ભારતના બંધારણ સામે એક નવું યુદ્ધ લડી રહ્યા હોય તેવું લાગે છે. આજે હું INDI ગઠબંધનના નેતાઓને પૂછવા માંગુ છું કે, સંસદ અને ભારતની સુપ્રિમ ન્યાયાલયનો નિર્ણય કે જે તમામને સ્વીકાર્ય છે. તેનું અપમાન અને અવગણના કરવાનો અધિકાર કોંગ્રેસ અને NCને કોણે આપ્યો ?



ભાગલા પાડવાનો પ્રયાસ સફળ નહી થાય- સ્મૃતિ ઇરાની
 હું તેમને પૂછવા માંગુ છું કે શું કોંગ્રેસ-એનસી સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આદિવાસી સમુદાયને જે અધિકાર મળ્યા છે. શું તેના વિરુદ્ધ કોંગ્રેસ અને NC સરકાર ઉભી રહેશે ? દલિતો અને પછાત સમુદાયોને જે અધિકારો મળ્યા છે શું એનસી અને કોંગ્રેસ તેની સામે ઉભી રહેશે? ગઈ કાલનો ઠરાવ ઉગ્રવાદ અને આતંકવાદના સમર્થનમાં કોંગ્રેસ અને ભારત ગઠબંધનના નેતાઓના વ્યૂહાત્મક સમર્થનને પ્રતિબિંબિત કરે છે... લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર, વિકાસના મુદ્દાઓ પર કામ કરવાને બદલે, ભારતને એક કરવાને બદલે વિભાજિત કરવાનો પુરાવો આપી રહી છે.. હું કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સના નેતાઓને કહેવા માંગુ છું કે કલમ 370 ક્યારેય પુનઃસ્થાપિત નહીં થાય, ભારતના ભાગલા પાડવાનો તેમનો પ્રયાસ સફળ નહીં થાય.

  • Follow us on: