- CBIએ રેલવે પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ શરૂ કરી છે
- આ કેસમાં સીબીઆઈએ 2018માં તપાસ શરૂ કરી હતી
- મે 2021માં તપાસ બંધ કરવામાં આવી હતી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધવાની છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં ફરીથી તપાસ શરૂ કરી છે. આ રેલવે પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારનો મામલો છે. લાલુ યાદવ યુપીએ-1 સરકારમાં આ પોર્ટફોલિયો સંભાળતા હતા. ત્યારે જ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે. આ કેસમાં સીબીઆઈએ 2018માં તપાસ શરૂ કરી હતી. મે 2021માં તપાસ બંધ કરવામાં આવી હતી. આ મામલો હવે ફરી ખુલ્યો છે.
ભારતીય રેલ્વેના પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ થઈ રહી છે ત્યારે લાલુ યાદવ પર મુસીબતોના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ પહેલા પણ તે અન્ય કેસમાં દોષિત ઠરેલા છે અને તે લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા. તાજેતરમાં, તેમની ગંભીર બીમારીની સારવાર પણ કરવામાં આવી હતી, જેમાં તેમની પુત્રીએ કિડનીનું દાન કર્યું હતું. ચારા કૌભાંડમાં લાલુનું નામ મુખ્ય આરોપી તરીકે રહ્યું હતું. આ સિવાય જ્યારે તેઓ યુપીએ-1 સરકારમાં રેલવે પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો સંભાળી રહ્યા હતા ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા.










