ભારતીય વાયુસેનામાં ફાઇટર વિમાનોની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે. દરમિયાન, એક સંરક્ષણ સંબંધિત વેબસાઇટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 40 વધુ રાફેલ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ ડીલ સરકારથી સરકાર (G2G) ધોરણે થશે. અહેવાલ મુજબ, ફ્રેન્ચ સંરક્ષણ પ્રધાન 28 કે 29 એપ્રિલે ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે ભારતીય નૌકાદળ માટે રાફેલ મરીન ફાઇટર પ્લેન ખરીદવા અંગે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ રાફેલ મરીન ફાઇટર જેટ ભારતના વિમાનવાહક જહાજો પર તૈનાત કરવામાં આવશે.
ભારત શક્તિના અહેવાલ મુજબ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે ભારતમાં બનનારા હેલિકોપ્ટર માટે ફ્રેન્ચ કંપની સફ્રાન પાસેથી એન્જિન ખરીદવા અને ભારતીય વાયુસેના માટે રાફેલ ફાઇટર જેટ ખરીદવામાં આવશે.
આ કરારને હાલમાં ફાસ્ટ-ટ્રેક MRFA-પ્લસ ડીલ નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે MRFA (મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ) કાર્યક્રમ હેઠળ, ભારત 114 ફાઇટર પ્લેન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે અને આ અંગે ઘણા સ્તરે વાતચીત ચાલી રહી છે.
સરકારે લીધુ આ મહત્વનું પગલુ
ભારતે મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) પ્રોજેક્ટ હેઠળ 114 ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાના છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ માટે કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાતો અને રાફેલ જેટ સાથે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે રાઈફલ ખરીદવાનો નિર્ણય લીધો છે. વાટાઘાટોમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ફક્ત ખરીદી નથી પરંતુ ભવિષ્યમાં પણ ચાલુ રહેનારી મોટી વ્યૂહાત્મક યોજનાનો એક ભાગ છે."
એરફોર્સને વધુ મજબૂત બનાવાશે
ભારતીય વાયુસેનાને સંપૂર્ણ રીતે મજબૂત રાખવા માટે, તેની પાસે ઓછામાં ઓછા 42.5 સ્ક્વોડ્રન હોવા જરૂરી છે, પરંતુ હાલમાં ફક્ત 31 સ્ક્વોડ્રન જ હાજર છે. આવી સ્થિતિમાં, જો ચીન અને પાકિસ્તાન સાથે એક સાથે યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે, તો ભારતને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ઘણા નિવૃત્ત વાયુસેના અધિકારીઓએ તો આ પરિસ્થિતિને 'કટોકટી' પણ કહી છે.
આ વર્ષની શરૂઆતમાં, વાયુસેનાના માર્શલ એપી સિંહે પણ કહ્યું હતું કે જૂના વિમાનોની નિવૃત્તિને કારણે, દર વર્ષે 35-40 નવા ફાઇટર વિમાન ઉમેરવા જરૂરી છે જેથી તાકાતમાં કોઈ ઘટાડો ન થાય.